ભાજપ પ્રદેશ પ્રમુખ પદભાર સંભાળ્યાના બાદ સી.આર.પાટીલ તરત જ એકશન મોડમાં આવી ગયા છે. ત્યારે આજરોજ તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા MLA અંગે નિવેદન આપ્યું હતું કે, ત્યાનું ભવિષ્યનું જોખમ હોવાથી તેઓ ભાજપમાં આવ્યા છે.
સી.આર.પાટીલનું કોંગ્રેસી ધારાસભ્યનું નિવેદન
ત્યાનું ભવિષ્યનું જોખમ હોવાથી તેઓ ભાજપમાં આવ્યા
આ સાથે જ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોને કે નેતાઓને ભાજપમાં લેવાથી જ ભાજપ જીતે છે એવી માન્યતા તોડવી જરૂરી છે અને ભાજપના કાર્યકરોએ એવી સ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી જોઈએ કે કોંગ્રેસના કાર્યકરોને ભાજપ જોડવા પડે.
જે આવ્યા છે તેમને જીતવા માટે ફરી લોકોની વચ્ચે જવું પડશે
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, જે આવ્યા છે તેમને જીતવા માટે ફરી લોકોની વચ્ચે જવું પડશે. પાર્ટી માટે એવી કોઇ જરૂરીયાત હોતી જ નથી. તો તેમણે એમ પણ કહ્યું કે, ભાજપના કાર્યકરોએ ગાંઠ બાંધવી જોઈએ કે, જીત મેળવવા માટે કોઈની લાચારી ન અનુભવવી જોઇએ.