રાહુલ ગાંધીના ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર છે તેવા નિવેદન પર સી આર પાટીલ અને દિનેશ શર્માએ કર્યો વળતો પ્રહાર
'કાર્યકરોને સેવાની ઈચ્છા હોય છે'
'રાહુલ ગાંધીએ વાહિયાત નિવેદન કર્યું': સી આર પાટીલ
'કામ કરે તેવા 25 નેતાઓની કોંગ્રેસમાં અછત'
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા અને શહેર કોંગ્રેસના પદાધિકારીઓ આજે સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.દિનેશ શર્માએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એસીમાં બેસી રહેનારા લોકો પાર્ટી ચલાવી રહ્યા છે.અને રાહુલ ગાંધી એ કહ્યું કે માત્ર 25 કાર્યકર્તાઓ મળી જાય તો ચૂંટણી જીતી જાશે જેને લઈને પણ દિનેશ શર્મા એ કહ્યું હતું કે એ 25 લોકો જ ભૂંકમ્પ લાવશે અને જો ભૂકંપ આવે તો વિનાશ જ થાય અને કોંગ્રેસ વિનાશ તરફ આગળ વધી રહી છે.
કામ કરે તેવા 25 નેતાઓની પણ કોંગ્રેસમાં અછત, રાહુલ ગાંધી પર સી આર પાટીલના પ્રહાર
સી આર પાટીલે પણ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા અને કોંગ્રેસ માંથી ભાજપ માં જોડાનારા નું સ્વાગત કર્યું હતું. પૂર્વ કોંગ્રેસ નેતા દિનેશ શર્માના ભાજપ પ્રવેશ વખતે પર સી.આર.પાટીલે કહ્યું હતું કે ભાજપના કાર્યકરો કે અન્ય પક્ષના કાર્યકરોને સેવાની ઈચ્છા હોય છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાહિયાત નિવેદન કર્યું હતું. કામ કરે તેવા 25 નેતાઓની પણ કોંગ્રેસમાં અછત છે.
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ શ્રી કૃષ્ણને યાદ કરી.પક્ષ પલટુઓને કૌરવ ગણાવ્યાં હતા.સાથે કહ્યું કે જે કૌરવો જવાના હતા તે ચાલ્યા ગયા તમે અંત સુધી હિંમત હારતા નહીં.મારે ગુજરાત કોંગ્રેસને બચાવવા 25-30 લોકોની જ જરૂર છે.
કોંગ્રેસની બધી ફેરીઓ રિટર્ન ફેરીઓ થઇ રહી છે: જીતુ વાઘાણી
કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાજપ સામે આંદોલનાત્મક કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવી છે.જે અંગે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની બધી ફેરીઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રિટર્ન ફેરિઓ થઇ રહી છે.જનતાએ ભાજપને જીતાડવા મન બનાવી લીધું છે.રાહુલ ગાંધી અનેકવાર આવ્યા છે.પરંતુ 2022માં તે રિટર્ન ફેરી કરવા આવ્યા છે.2022ની કોંગ્રેસની અંતિમ ફેરી રહેશે.
છેલ્લા દસ વર્ષમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ 58 નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે ત્યારે કોંગ્રેસ તૂટે અને ભાજપમાં જોડાઇ હોય તે પ્રકારની બાબતો સામે આવે છે.એક દાયકાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનું કમળ પકડી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસના દિગ્ગજ 58 નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે.જેમાં ધારાસભ્ય, સંસદ સભ્ય હોય સહકાર ક્ષેત્રે જોડાયેલા હોય તેવા નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હોવાના પુરાવા છે. આમ તો ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ તૂટવાની શરૂઆત 2007થી થઈ છે. રાજ્યસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તે સમયે નારાજગીનું ઊઠે અને કોંગ્રેસનું ભંગાણ થઈ અને ભાજપમાં ભળે છે,જેને ભાજપનાં નેતાઓ ભાજપનાં સશનની સ્પષ્ટ છબી ગણાવે છે.