માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી(માકપા)ના મહાસચિવ સીતારામ યેચુરીએ શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને અપીલ કરી છે.
દીકરાને ગુમાવી ચૂકેલા સીતારામ યેચુરી પીએમ મોદીને કરી અપીલ
તમામને રસી લગાવવામાં આવે, તમામને ઑક્સિજન મળે
યેચુરીના મોટા પુત્ર આશીષ યેચુરીનું કોરોનાથી થયું હતું નિધન
યેયુરીએ પીએમને કહ્યું કે, કોરોના મહામારીને ધ્યાને રાખીને સમગ્ર દેશમાં ઑક્સિજનને પુરૂ પાડવા અને સહિયારુ રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને રદ્દ કરવામાં આવે અને પીએમ કેર ફંડ હેઠળ આવેલા દાનની રકમને ઑક્સિજનની જરૂરિયાત અને કોરોનાના રસીકરણના ઉપયોગમાં લેવામાં આવે.
યેચુરીએ કહ્યું કે, હું ખુબ જ દુઃખ સાથે આ પત્ર લખી રહ્યો છું. કોરોના વાયરસની બીજી લહેરના કારણે પૈદા થયેલા સ્વાસ્થ્ય અને માનવીય સંકટ સુનામીનું રૂપ લઇ રહ્યું છે. કેન્દ્ર સરકારના વલણથી આ સંકટ વધ્યું છે. તેમણે પ્રધાનમંત્રીને આગ્રહ કર્યો કે સમગ્ર દેશમાં ઑક્સિજનને પુરો પડાવામાં આવે અને સાર્વભૌમિક રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવે.
વામ નેતાએ સલાહ આપી કે રસીકરણ કાર્યક્રમ માટે 35,000 કરોડ રૂપિયાની રકમની વહેચણી કરવી જોઇએ. યેચુરીએ કહ્યું કે, જો તમે ભારતીય નાગરિકોને ઑક્સિજન અને રસી ઉપલબ્ધ કરાવવા અને આગામી સમયમાં મોતોને રોકવામાં અસમર્થ રહો છો તો તમારી સરકારને બન્યા રહેવામાં કોઈ નૈતિક અધિકાર નથી. આ સંકટ રોકી શકાયું હોત. સરકાર પોતાના મૌલિક કર્તવ્યને નિભાવવામાં નિષ્ફળ રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સંક્રમણના કારણે યેચુરીના મોટા પુત્ર આશીષ યેચુરીનું ગત 22 એપ્રિલે નિધન થયું હતું.