કમ્યુનિસ્ટ પાર્ટી અને જેએનયૂના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર એક વાર ફરી પોતાના સમીક્ષકોના નિશાને ચઢ્યા છે. ગુરુવારે બિહારની રાજધાની પટનામાં તેઓ રાષ્ટ્રગાન કરતા વચ્ચેથી ભૂલી ગયા હતા. એ બાદ તેણે ખોટી લાઈન ગાઈને ગાન પુરુ કર્યુ હતું.
કનૈયા કુમાર થયો ફરીથી ટ્રોલ થયો છે
કનૈયા રાષ્ટ્રગાન ભૂલી ગયો અને ખોટું ગાયું
કનૈયા કુમારે જન ગન મન યાત્રામાં ખોટુ ગાન કર્યુ
કનૈયા કુમારને ટ્રોલ કરી રહ્યા છે
ગુરુવારે બિહારની રાજધાની પટનામાં ગાંધી મેદાનમાં આયોજિત થયેલી રૈલીમાં કનૈયા કુમાર રાષ્ટ્રગાન કરતા વચ્ચે જ ભૂલી ગયા હતા. એટલું જ નહી તેણે ખોટી લાઈન ગાઈને તેણે રાષ્ટ્રગાન પુરુ કર્યુ હતુ. આ વાતને પગલે લોકો કનૈયા કુમારને ટ્રોલ કરી રહ્યા છે.
કનૈયા કુમારે રાષ્ટ્રગાન ગાતા સમયે ભૂલ કરી દીધી હતી
ઉલ્લેખનીય છે કે સીએએ-એનઆરસી- એનપીઆરની વિરુદ્ધ બિહારના અલગ અલગ જિલ્લામાં ‘જન ગણ મન યાત્રા’કાઢવામાં આવી હતી. જેનું ગુરુવારે ગાંધી મેદાન પર સમાપન થવાનું હતું. આ દરમિયાન કનૈયા કુમારે રાષ્ટ્રગાન ગાતા સમયે ભૂલ કરી દીધી હતી.
આ મંચ પર આ લોકો હાજર હતા
ગાંધી મૈદાનમાં આયોજિત કરવામાં આવેલી આ રેલીમાં સામાજિક અને સાંસ્કૃતિક હસ્તિઓએ મંચ શેર કર્યો હતો. જેમાં ‘નર્મદા બચાઓ’ આંદોલનની મેઘા પાટકર, રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી, પૂર્વ આઈપીએસ અધિકારી કન્નન ગોપીનાથ અને દિવંગત માર્ક્સવાદી નાટકકાર અને ડિરેક્ટર સફદર હાશ્મીની બહેન શબનમ હાશ્મી અને કોંગ્રેસ વિધાયક શકીલ અહેમદ ખાન પણ હાજર હતા.
ભાજપ પર હિંદુઓને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો
આ ‘સંવિધાન બચાવો, નાગરિક બચાવો’ રેલીની શરુઆત હાલમાં દિલ્હીમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા લોકો માટે એક મિનિટ મોન રહી હતી. આ બાદ રૈલીને સંબોધિત કરતા કનૈયા કુમાર સત્તારુઢ ભાજપ પર મુસલમાનોની વિરુદ્ધ હિંદુઓને ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો.