રાજસ્થાનની એક અનોખી ગૌશાળામાં ગાયો પણ લખપતિ છે. અહી ગાયોના નામે એક એક લાખની એફડી કરવામાં આવી છે. જાણો આ વિષે વિગતવાર
રાજસ્થાનની અનોખી ગૌશાળા
અહી ગાયને દત્તક લે છે લોકો
એવી સુવિધાઓ મળે છે કે તમે સાંભળ્યું પણ નહી હોય
રાજસ્થાનની અનોખી ગૌશાળા
તમે ઘણા લખપતિઓ જોયા હશે. તમે આવા લોકોને જાણતા અને ઓળખતા પણ હશો. પરંતુ હવે અમે જણાવવા જઈ રહ્યા છીએ લખપતિ ગાયો વિષે. રાજસ્થાનના ઝુન્ઝુનૂની એક ગૌશાળા અત્યંત અનોખી છે. આ ગૌશાળામાં 28 લખપતિ ગાયો છે. જેમના નામે એક એક લાખ રૂપિયાની એફડી છે. ગૌભકતોએ ગાયોને દત્તક લઈને તેમના નામે એફડી કરાવી છે. આ ગયોની સારી રીતે સંભાળ લેવાય એટલા માટે ગૌશાળા કમિટીની કોશિશ છે.
ભોડકી ગામની 28 ગાયો
આમ તો દેશમાં ગાયોની સેવાના નામ પર ઘણા લોકો અને સંગઠનો કામ કરી રહ્યા છે. પરંતુ ગૌવંશનાં સંરક્ષણ માટે જે પરંપરા અહી શરુ થઇ હતી, તેની વાત જ અલગ છે. ગુઢાગૌડજીનાં ભોડકી ગામમાં સ્થિત શ્રી જમવાય જ્યોતિ ગૌશાળામાં અત્યાર સુધી 28 ગાયોને દત્તક લેવામાં આવી છે.
આ જ બેંક બેલેંસ સને તેના વ્યાજથી ગાયોની સંભાળ લેવામાં આવે છે. ગામના પૂર્વ સરપંચ શિવરામ સિંહ જણાવે છે કે ગૌશાળામાં અત્યારે પણ 983 ગાયો છે. જેમના માટે ઘણી શાનદાર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીની ગૌશાળામાં ગયોની સેવા માટે અલગ અલગ સ્કીમ છે. જેથી દર મહીને લગભગ 2 લાખની કમાણી થાય છે.
જાણો ક્યા પ્રકારે થઇ હતી શરૂઆત
પૂર્વ સરપંચ શિવરામ સિંહ જણાવે છે કે બે વિઘા જમીનથી શરુ થયેલી આ ગૌશાળા વધતા વધતા 60 વિઘા પર પહોંચી ગઈ છે. ગૌશાળામાં ગાયોની સંભાળ માટે લગભગ 18 થી 20 લોકો કામ કરે છે. ગાયોની વધતી સંખ્યાને કારણે અહી પશુ દવાખાનાનું પણ નિર્માણ થઇ રહ્યું છે.
ગામના બદલાયા નસીબ
ગૌશાળાથી દરરોજ લગભગ 100 લીટર દૂધ કાઢવામાં આવે છે. અહી ઘી પણ બનાવવામાં આવે છે. ગૌશાળા પરિસરની અંદર જૈવિક ખાતર બનાવવાનો પ્લાન્ટ પણ છે. રાસાયણિક ખાતરની સરખામણીમાં આ જૈવિક ખાતર વાવેતર માટે વરદાન સાબિત થાય છે. આવામાં જૈવિક ખાતરથી ખેતીની તસવીર બદલવા માટે અહી પણ કામ કરવામાં આવી રહ્યું છે. શેખાવાટીનું નામ આવતા જ શેઠો અને લખપતિઓની વાર્તા શરુ થઇ જાય છે. આવામાં ગાયોને દત્તક લેવાની અનોખી પરંપરા ગૌ સંરક્ષણ માટે અન્ય ગૌશાળાઓ માટે પ્રેરણાનું કામ કરશે.