રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની માંગ સ્વીકારી છે જેને લઇને આવતીકાલે PM મોદી દ્વારા અંબાજીથી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.
આજથી બે દિવસ વડાપ્રદાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમના દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કર્યોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં આવતીકાલે PM મોદી અંબાજીના આંગણેથી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે.
પ્રતિક રૂપે 5 જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાય અપાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી શ્રી ગણેશ કરવાશે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારાઆ યોજનાનો પ્રારંભ કરાવી પ્રતિક રૂપે 5 જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ પણ અર્પણ કરવામાં આવશે. જેને લઇને ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો આ જાહેરાતને આવકારી રહ્યા છે.
સરકારે સંચાલકોની માંગણી સ્વીકારી
ઉલ્લેખની છે કે, જે પણ ગૌ-શાળા અને પાંજરાપોળમાં ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરવામાં આવે છે, તેને આર્થિક સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે ૨૦૨૨-૨૩ ના બજેટમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં સરકારે ગૌશાળાને 500 કરોડની સહાય અંગે જણાવ્યું હતું. એટલું જ નહીં, સરકાર દ્વારા રખડતા પ્રાણીઓ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરાઇ હતી. ત્યારબાદ સહાય આપવા માટે ગૌશાળ અને પાંજરાપોળના સંચાલકો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. જે ને સરકારે સ્વીકારી લીધી છે અને આવતીકાલથી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવશે.
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવરાત્રી નિમિત્ર બનાસકાંઠાના અંબાજી મંદિરને આંગણે માતાજીના દર્શન કરશે. જેને લઇ અંબાજી ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. PM મોદી અંબાજીના ચીખલા ખાતે સભા સંબોધશે ઉપરાંત મા અંબાના શરણે શીશ નમાવી આશીર્વાદ મેળવશે. એટલું જ નહિ ગબ્બર ઉપર સંધ્યા સમયની માતાજીની મહાઆરતીમાં પણ PM મોદી સહભાગી બનશે. જેને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.