સામાજિક કાર્યકર્તા વિજય પરસાણાએ ડોક્ટર મોના દેસાઈ અને દિલીપ માવલંકરને ગૌ મૂત્રથી મ્યુકરર્માઈકોસિસ થાય છે તે અંગે કરેલા નિવેદનને લઈને નોટિસ પાઠવવામાં આવી
IMAના ડોક્ટર મોના દેસાઇ અને દિલીપ માવલંકરને નોટિસ
સામાજિક કાર્યકર્તા વિજય પરસાણાએ મોકલી લીગલ નોટિસ
ગૌમૂત્ર, ગોબરથી મ્યુકરર્માઈકોસિસ થાય છે નિવદેન બદલ નોટિસ
ગૌ મૂત્ર અને ગોબર અંગે ડોક્ટર મોના દેસાઈ અને ડોક્ટર દિલીપ માવલંકરે લીગલ નોટિસ આપવામાં આવી છે, સામાજિક કાર્યકર્તા વિજય પરસાણાએ જણાવ્યું કે વર્ષોથી ગૌ મૂત્ર પીવું છું, લોકો સો-સો વર્ષોથી એની સાથે રહેતા અને ખેતરમાં પણ ગોબર ઉપયોગ કરવામાં આવતું હતું, અને ઉગાડા પગલે જ ખેડૂતો કામ કરતા, તેમણે જણાવ્યું કે આજ સુધી ગૌ મૂત્રથી કોરોના કે મ્યુકરર્માઈકોસિસ થાય છે તેવું કોઈ લક્ષણ દેખાયું નથી.
નિવેદન પરત લેવામાં આવે તેવી માંગ સાથે નોટિસ
વધુમાં સામાજિક કાર્યકર્તા વિજય પરસાણાએ જણાવ્યું કે વર્ષોથી રિસર્ચ થતા હોય અને તે બાદ પેટન્ટ મળતી હોય તે કોઈ રિસર્ચ વગર આવા નિવેદનો આપે તે યોગ્ય નથી, વિજય પરસાણાએ જણાવ્યું હતું કે ડોક્ટર મોના દેસાઈ પૂરવાર કરે કે ગોબરથી નુકસાન થાય છે અને નુકસાન થતું હોય તો અમે માફી માગી લઈશું. ડોક્ટર મોના દેસાઈ અને દિલીપ માવલંકરને ગૌ મૂત્રથી મ્યુકરર્માઈકોસિસ થાય છે તે અંગે કરેલા નિવેદનને લઈને નોટિસ પાઠવવામાં આવી છે. સાથે જ ગૌ મૂત્ર અને ગોબર પર થયેલા રીચર્સ અને પેટન્ટ પણ મોકલી આપવામાં આવ્યા છે. સામાજીક કાર્યકર્તા વિજય પરસાણાએ જણાવ્યું છે કે આવા નિવેદનોથી નાગરિકો ગેરમાર્ગે દોયાય છે જેથી આવું નિવેદન પરત લેવામાં આવે તેવી માંગ સાથે નોટિસ પાઠવી છે.
IMAના ડોક્ટર મોના દેસાઇ અને દિલીપ માવલંકરને નોટિસ
નોટિસ પાઠવવાના મામલે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર મોના દેસાઈએ કહ્યું કે, કોઈની ભાવનાને અમે ઠેસ પહોંચાડવા નથી માંગતા, ગૌમૂત્ર અને છાણ કોરોનાથી બચી શકાતું નથી, મને નોટિસ ફટકારી છે તેના પર ગુસ્સો આવવાને બદલે દયા આવે છે, આપણે આ વૈશ્વિક મહામારી ગૌ મૂત્ર અને છાંણ કોરોનાથી બચાવી શકતા નથી, ICMR કે CDCએ કોઈ માન્યતા આપી નથી, આવી વૈશ્વિક મહામારીમાં અમારી ફરજ છે કે લોકોને જાગૃત કરવા. આનું કોઈ જ પ્રમાણ પત્ર નથી કે ગૌ મૂત્ર કે છાંણ કોરોના વાયરસ થયેલા વ્યક્તિને બચાવી શકે.