ભુજઃ લેર ગામની સીમમાં થયેલ ગૌહત્યાની ઘટના બની હતી. જેના ભાગરૂપે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કુકમા ગ્રામજન અને અખિલ ભારતીય ગોરક્ષા મહાસંધ દ્વારા ગામમાં બંધનુ એલાન પાડવામાં આવ્યુ છે. આ બંધના એલાનમાં બધા સમાજના લોકો જોડાયા હતા. ત્યાર બાદ ગૌહત્યાના વિરોધમાં ગ્રામજનો દ્વારા કલેકટર અને એસપીને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતુ. આ મામલે ગ્રામજનો દ્વારા પોલીસ ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા લેર ગામની સીમમાં ગાયની હત્યા કરવામાં આવી હતી. ગૌહત્યા બનાવને લઈને હિંદુ મુસ્લિમ સહિત તમામ સમાજના લોકોમાં રોષ લાગણી જોવા મળ્યો છે.
ભુજ તાલુકાના લેર ગામની સીમમાં થયેલ ગોહત્યાની ધટના ના ધેરા પ્રત્યાધાત જોવા મળ્યા છે. ગૌહત્યા બનાવ પગલે આજે કુકમા ગામને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ગોહત્યા ધટનાની નીદા કરી આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી.
ગૌહત્યાના બનાવમાં ઝડપથી આરોપીની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગોહત્યા બનવા આજે કુકમા ગામ સજ્જડ બંધ રહેવા પામ્યું હતું. કુકમા ગામના લોકો રોજગાર ધંધા બંધ રાખી ગૌહત્યા ધટના વિરોધ નોધાવ્યો હતો.