આજકાલની ભાગદોડ વાળી જીંદગીમાં વધતા તણાવના કારણે વધારે લોકોને માથા દુખાવાની સમસ્યા બની રહે છે. માથાનો દુખાવો માત્ર મોટી ઉંમરના લોકોને નહીં પરંતુ આજકાલ તો આ નાના બાળકોને પણ થાય છે. જો બાળકો સાચા સમયે માથાના દુખાવાનની સમસ્યાની સારવાર કરાવે નહીં તો આગળ જઇને માઇગ્રેનમાં બદલાઇ જાય છે.
કેટલાક લોકો માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે પેન કિલરનો ઉપયોગ કરે છે પરંતુ એ દવા એ સમયે તમારો દુખાવો દૂર કરી દે છે પરંતુ વધારે પડતી પેન કિલર્સ ઉપયોગ કરો છો તો આપણા સ્વાસ્થ્ય સંબંધિત કોઇ સમસ્યા સામે આવી શકે છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવવા જઇ રહ્યા છીએ જેના ઉપયોગથી તમે તમારા માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
જો તમારા માથામાં ખૂબ જ દુખાવો હોય તો એને ઠીક કરવા માટે થોડા લવિંગ પીસીને એના પાઉડરમાં એક ગ્લાસ દૂધમાં મિક્સ કરીને એમાં થોડું મીઠું નાંખી દો. હવે આ દૂધનું સેવન કરો. આવું કરવાથી તમારા માથાનો દુખાવો ઝડપથી દૂર થઇ જશે.
કેટલાક લોકોના માથામાં અડધા ભાગમાં જ દુખાવો થાય છે. એને અધકપારી પણ કહેવામાં આવે છે. આવું થવા પર જે તરફ તમને દુખાવો થાય છે એની બીજી બાજુ કાનમાં મધના થોડાક ટીપા નાંખો આવું કરવાથી માથાના દુખાવામાં આરામ મળશે.
માથામાં વધારે દુખાવો થવા પર એક ગ્લાસ ગાયનું ગરમ દૂધ પીવો એને કરવાથી તમારા માથાના દુખાવામાંથી તરત આરામ મળશે.
ખીરાની સ્લાઇસને પણ માથા પર રગડવાથી માથાનો દુખાવો બરોબર થઇ જશે.
લસણના ઉપયોગથી તમે તમારા માથાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. એનો ઉપયોગ કરવા માટે લસણની થોડીક કળીઓને પીસીને નિચોવીને એનો રસ નિકાળી દો. હવે આ જ્યુસનું સેવન કરો. આવું કરવાથી તમારા માથાના દુખાવાથી રાહત મળશે.