નવી દિલ્હી: દેશમાં બીફ પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજસ્થાન હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે કહ્યું છે. તેની સાથે કોર્ટને એ પણ સલાહ અપાઇ કે ગૌહત્યા કરનારની સજા વધારવી જોઇએ ગૌહત્યા કરનારને આજીવનકેદ થવી જોઇએ. ત્યારે આ પહેલા હત્યા માટે પશુઓની ખરીદ-વેચાણ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યા પછી દેશભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે મોદી સરકારના એક મંત્રીએ સરકારના નિર્ણયને ખોટો બતાવ્યો હતો.
ગૃહરાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું કે કોઇપણ સરકારને એ નક્કી ન કરવું જોઇએ કે કોણ શું ખાશે. પશુનુ બજારોમાં વેચાણ-ખરીદી પર પ્રતિબંધના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેરલમાં જાહેરમાં ગાય કાપી અને બીફ ફેસ્ટ પર તમિલનાડુમાં વિદ્યાર્થીને માર મરાયો જેને સંબંધીત બુધવારે પુછાયેલ સવાલના જવાબમાં તેમણે ટિપ્પણી કરી હતી. કેન્દ્રીય નાણામંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સરકાર એ નક્કી નથી કરતી કે લોકોને શું ખાવુ જોઇએ અને શું ના ખાવુ જોઇએ.