દેશભરમાં રસીની અછત છતાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિશીલ્ડ રસીના 50 લાખ ડોઝ બ્રિટનને નિકાસ કરવા માંગતી હતી. પરંતુ કંપનીએ સરકાર સાથે અનેક રાઉન્ડની વાતચીત કરી પરંતુ સરકારે SIIના પ્રસ્તાવને ફગાલી દીધો. કંપનીની દલીલ હતી કે બ્રિટનની સાથે રસીને લઈ પહેલાથી સમજૂતિ થઈ હતી. ભારત સરકારે રસીની અછતનો હવાલો આપતા SIIના પ્રસ્તાવને ફગાવી દીધો.
SIIએ 23 માર્ચે મંત્રાલય પાસે 50 લાખ ડોઝ સપ્લાયની પરવાનગી માંગી હતી
એક મીડિયા રિપોર્ટ મુજબ સીરમ ઈન્સ્ટીટ્યૂટે 23 માર્ચે મંત્રાલયથી બ્રિટનને કોવિશીલ્ડના 50 લાખ ડોઝ સપ્લાય કરવાની પરવાનગી માંગી હતી. સીરમ ઈન્સ્ટીટ્યૂટે આ સંબંધમાં એસ્ટ્રાજેનેકાની સાથે એક સમજૂતિના હવાલો આપ્યો હતો અને ભારતને ભરોસો આપ્યો હતો કે આ સપ્લાયથી તેમના રસીકરણ કાર્યક્રમ પર અસર નહીં પડે. હવે સરકારે કહ્યુ કે આ 50 લાખ રસીના ઉપયોગ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 18-44 વર્ષના લોકોના રસીકરણ માટે કરવામાંઆવશે.
50 લાખ રસીના લેબલ સુધી બદલવા પડશે
સરકારે રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોને રસી ખરીદવા કહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે 50 લાખ રસીના લેબલ સુધી બદલવા પડશે. હકિકતમાં આ રસી પહેલા બ્રિટનનું નામ લખેલુ હતુ. પરંતુ હવે આ લેબલને બદલવા પડશે. ઉલ્લેખનીય છે કે કોવિશીલ્ડ રસી બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ તૈયારી કરી છે. આ રસીનું નિર્માણ પુણેની SII કરી રહી છે. આ દરમિયાન ભારત બાયોટેકે દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 14 રાજ્યોમાં કોરોનાની રસી કોવૈક્સિનનો સીધો સપ્લાય 1 મેથી શરુ કરી દીધો છે. હૈદરાબાદ સ્થિત કંપનીએ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આવંટન અનુસાર કોવિડ 19ની રસીનો સપ્લાય શરુ કરી દીધો છે.