સરકાર કામથી વિદેશે પ્રવાસ પર જનારા લોકોને કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ જલ્દી લગાવવાની મંજૂરી આપી દીધી છે.
આ લોકો 28 દિવસ બાદ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકે
આ સુવિધા 31 ઓગસ્ટ 2021 સુધી હશે
જે પહેલો ડોઝ લઈ ચૂક્યા છે અને...
આ લોકો 28 દિવસ બાદ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જરૂરી કામથી વિદેશે પ્રવાસ પર જનારા લોકોને કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ જલ્દી લગાવવાની મંજૂરી આપી દીધી છે. એવા લોકો હવે 28 દિવસ બાદ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકે છે. જ્યારે બાકીના લોકો માટે પહેલાની જેમ 12થી 16 અઠવાડિયાની ગાઈડલાઈન યથાવત રાખી છે.
આ કામથી બહાર જવાનું છે તો...
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે રોજગાર, શિક્ષા, ટોક્યો, ઓલમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જેવા કારણો જે લોકોને તાત્કાલિક વિદેશ જવાનું છે પરંતુ તે કોવિશીલ્ડના એક ડોઝને લઈ ચૂક્યા છે. તથા બીજો ડોઝ લેવામાં હજું સમય છે. તેમને છુટ આપવામાં આવી રહી છે. એવા લોકો જેમને પહેલો ડોઝ લીધાને 28 દિવસ થઈ ગયા છે. તે આનો ફાયદો ઉઠાવી શકે છે.
આ સુવિધા 31 ઓગસ્ટ 2021 સુધી હશે
સરકારે કહ્યું કે એવા લોકોને આ સુવિધા 31 ઓગસ્ટ 2021 સુધી હશે. તેમના રસીકરણ પ્રમાણ પત્ર પર પાસપોર્ટ નંબર નોંધવામાં આવશે. સાથે તેમના રસીકરણના સમયે પાસપોર્ટ રજુ કરવાનું રહેશે.
રાજ્યોને નિર્દેશ
કેન્દ્રએ રાજ્યોને કહ્યુ છે કે તે આવા લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા સ્તર પર નોડલ અધિકારી જાહેર કરે. જે દસ્તાવેજોની તપાસ બાદ આવા મામલામાં જલ્દી રસીકરણની પરવાનગી આપશે. મંત્રાલયે કહ્યુ કે આવા લોકોએ પોતાના દસ્તાવેજોમાં ટાઈપ ઓફ વેક્સીનની જગ્યાએ કોવિશીલ્ડ લખવાનું રહેશે. અન્ય કોઈ વિવરણ ભરવાની જરુર નથી. ઉલ્લેખનીય છે કે કોવીશિલ્ડને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સ્વીકૃત રસીની યાદીમાં સામેલ કરી ચૂકી છે.