કોરોના વાયરસની વેક્સીન બનવવામાં રુસે બાઝી મારી લીધી છે. અહીંના સચેનોવ યુનિવર્સિટીએ કોરોનાની રસી તૈયાર કર્યાનો દાવો કર્યો છે. વેક્સીનના તમામ પરિક્ષણ થઈ ચૂક્યા છે અને તે સફળ પણ થયા છે. માનવામાં આવે છે કે સચેનોવ વિશ્વવિદ્યાલયનો દાવો સાચો સાબિત થયો તો રસી બનાવનારો આ દુનિયામાં પહેલો દેશ બનશે. તેમણે એમ પણ દાવો કર્યો છે કે બધું જ બરાબર રહ્યું તો તેઓ સપ્ટેમ્બરમાં રસી માર્કેટમાં આવી જશે.
આ રસીનું નામ Gam-COVID-Vac Lyo રાખ્યું છે
રસી લીધા બાદ અંદાજે 2 વર્ષ સુધી કોરોનાનું સંકટ ટળી જાય છે
આ વેક્સીન સપ્ટેમ્બર સુધીમાં બજારમાં આવી જશે
રુસનો દાવો છે કે તેઓ રસી બનાવવામાં સૌથી આગળ નીકળી ગયા છે. આ રસીનું નામ Gam-COVID-Vac Lyo રાખ્યું છે. રુસની સચેનોવ યુનિના જણાવ્યાનુંસાર માનવ પરિક્ષણમાં તેઓ સફળ રહ્યા છે. આ રસી લાગવાથી લાંબા સમય સુધી અંદાજે 2 વર્ષ સુધી કોરોનાનું સંકટ ટળી જાય છે.
સચેનોવ યુનિ.માં ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર- બોર્ન ડિજિજના ડિરેક્ટર એલેક્જેન્ડર લુકાશેવે જણાવ્યું કે અમારુ લક્ષ્ય લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા સફળતા પુર્વક રસી તૈયાર કરવાનું છે. તેમના મુજબ સુરક્ષાના પાસા પર કામ કરવાનું છે. રસીને લઈને સલામતીના સ્તરે તમામ કામ થઈ ચૂક્યું છે. જો તમામ પરવાનગી મળી જાય છે તો આ વેક્સીન સપ્ટેમ્બર સુધીમાં બજારમાં આવી જશે.
ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સલેશનલ મેડિસિન એન્ડ બાયોટેક્નોલોજીનના ડિરેક્ટર વદિમ તરાસોવના જણાવ્યાનુંસાર સચેનોવ યુનિ.એ 18જૂનના રોજ પરિક્ષણ શરુ કર્યું હતું. તેનું નિર્માણ ગેમલી ઈસ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ક માઈક્રોબાયોલોજીએ કર્યુ હતુ. વદિમ તરાસોવે પણ વેક્સીનને તૈયાર થવાની ખરાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિઓ પર આ રસીનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું તેમને 20 જુલાઈના રોજ બુધવારે રજા આપી દેવામાં આવશે. 15 જુલાઈના રોજ અંતિમ ટ્રાયલ પુરુ થઈ જશે. સ્વયંસેવકોમાં 10 સ્વાસ્થ્યકર્મી હતા. તેમજ 50 લોકો તો નોકરીયાત છે.
ઉલ્લેખનીય છે કે રુસની ફાર્મા કંપની આર ફાર્માએ કોરોનાની સારવાર માટે એક નવી દવા તૈયાર કરી છે. આ દવા એન્ટી વાયરલ છે. જેનું નામ કોરોનાવિર(Coronavir) રાખવામાં આવ્યું છે. ક્લીનિકલ ટ્રાયલ બાદ તેનો દર્દીઓ માટે ઉપયોગ થાય તેવી પરવાનગી મળી ગઈ છે. કંપનીનો દાવો છે કે દવા દર્દીઓને અસર કરી રહી છે. દવા વાયરસના કાઉન્ટને વધતા રોકી રહી છે.
રુસી કંપનીનો દાવો છે કે કોરોનાવિર દેશની પહેલી એવી દવા છે કે જે કોરોનાની સારવારમાં સંપૂર્ણ રીતે કારગર નીવડી છે. દવાના ક્લીનિકલ ટ્રાયલમાં જબરજસ્દ પરિણામ મળ્યુ હતું. અન્યની સરખામણીએ આ દવા દર્દીમાં 55 ટકા વધારે સુધારો લાવે છે. કંપનીનો દાવો છે કે ક્લીનિકલ ટ્રાયલમાં દરમિયાન દર્દીઓને દવા આપ્યાના 5માં દિવસે 77.5 ટકા દર્દીઓમાં કોરોનાનો નાશ કર્યો હતો.
રુસમાં સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીના પ્રમુખ તાત્યાન રાયજેનત્સોવાના જણાવ્યા મુજબ દવાનું ટ્રાયલ મેમાં શરુ થયું હતું અને આ બાબ 110 દર્દીઓની સારવાર થઈ ચુકી છે. આ એન્ટીવાયરલ છે જેની કિંમત જોઈએ તો 200 એમસીની ટેબલેટ છે એક પત્તાની કિંમત 3500 છે. જેમાં 34 ટેબલેટ હોય છે. ઉલ્લેખનીય છે કે ડૉક્ટરની નજર હેઠળ દવાના ઉપયોગને માન્યતા મળી છે.
અમેરિકા પણ બહું જલ્દી રસી બનાવશે. કેમકે અમેરિકાની કંપની મોર્ડનોએ પણ જલ્દી જ રસી બનાવવાનો દાવો કર્યો છે. તેમણે જુલાઈમાં રસીના ત્રીજા સ્તર પર ના પરિક્ષણની વાત કરી હતી. ત્રીજા ચરણમાં 30 હજાર લોકોને રસી આપવાની વાત કરાઈ હતી. કંપની નો દાવો છે કે રસીથી કોરોનનો ચેપ નથી લાગતો.