દેશમાં વેક્સિનેશનનો આંક 50 કરોડને પાર થયો છે ત્યારે પીએમ મોદીએ કહ્યું કે દેશે નવી ઉંચાઈ પ્રાપ્ત કરી છે. શુક્રવારે દેશમાં 43.29 લાખ ડોઝ અપાયા હતા.
દેશમાં વેક્સિનેશનનો આંકડો થયો 50 કરોડને પાર
શુક્રવારે દેશમાં 43.29 લાખ ડોઝ અપાયા
જુઓ શું કહ્યું PM મોદીએ...
દેશમાં કોરોનાની સંભાવિત ત્રીજી લહેરની વચ્ચે વેક્સિનેશનનું કામ ઝડપથી ચાલી રરહ્યું છે. આ સમયે દેશમાં લગભગ 50 કરોડથી વધારે લોકોને વેક્સિન લાગી ચૂકી છે. પીએમ મોદીએ શક્રવારે કોરોના મહામારીની લડાઈમાં દેશની સફળતાને લઈને કહ્યું કે ભારતે નવી ઉંચાઈ સિદ્ધ કરી છે.
શુક્રવારે દેશમાં 43.29 લાખ ડોઝ અપાયા
પીએમ મોદીએ આ નિવેદન એ સમયે આપ્યું જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં વેક્સિનેશનનો આંક 50 કરોડને પાર થયો છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે દેશમાં વેક્સિનના 43.29 લાખ ડોઝ અપાયા હતા.
India’s cumulative #COVID19 vaccination coverage has crossed 50 crore landmark milestone (50,03,48,866), as per the 7 pm provisional report today. More than 43.29 lakh (43,29,673) vaccine doses have been administered today, as per the 7 pm provisional report: Govt of India
જુઓ શું કહ્યું PM મોદીએ...
પીએમ મોદીએ એક ટ્વિટમાં કહ્યું કે કોરોના વિરોધમાં ભારતની લડાઈમાં આજે એક નવી સિદ્ધિ મળી છે અને તેમાં 50 કરોડનો આંક પાર થઈ ચૂક્યો છે. આ સંખ્યાને આગળ વધારતા નક્કી કરવાનું છે કે દરેક નાગરિક સબકો ટીકા, મુફ્ત ટીકા અભિયાનમાં ભાગ લે અને દરેકને તેનો લાભ મળે.
India’s fight against COVID-19 receives a strong impetus. Vaccination numbers cross the 50 crore mark. We hope to build on these numbers and ensure our citizens are vaccinated under #SabkoVaccineMuftVaccine movement.
દેશમાં જોવા મળી રહ્યો છે ત્રીજી લહેરનો ખતરો
ઉલ્લેખનીય છે તકે દેશમાં ત્રીજી લહેરનો ખતરો જોવા મળી રહ્યો છે. આ સમયે સરકાર વેક્સીનેશન પર ભાર આપી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે સીરમ ઈન્સ્ટીટ્યુટના અદાર પુનાવાલાની મુલાકાત કરી અને કોવિશિલ્ડના ઉત્પાદનને વધારવા માટે પણ ચર્ચા કરી હતી. કેટલાક રિપોર્ટમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ખતરો જણાવવામાં આવી રહ્યો છે. તો કેટલાકમાં ઓક્ટોબર મહિનામાં ભારત પર ત્રીજી લહેરનું સંકટ છવાશે તેમ કહેવાયું છે.