કોરોના વાયરસને લઈને વારંવાર નવા ખુલાસા થઈ રહ્યા છે. આ ખુલાસાને કારણે ઘણી વાર ચિંતા વધતી રહી છે. જોકે વૈજ્ઞાનિકો માટે આ ફાયદાકારક પણ હોય છે કેમ કે એક તથ્યથી તેમને રિસર્ચની દિશા નક્કી કરવામાં સરળતા રહે છે. પણ આ નવો ખુલાસો તો રંગભેદને લઈને છે. અહીં જોવા મળ્યું છે કે કોરોના બાળકોનો રંગ જોઈને નિશાન બનાવે છે.
અશ્વેત બાળકોને કોરોનાએ બનાવ્યા છે વધુ શિકાર
શ્વેત બાળકોની તુલનામાં અશ્વેત બાળકો વધુ દાખલ થઈ રહ્યા છે
અશ્વેત બાળકોમાં સંક્રમણનો દર 5થી 8 ગણો વધુ
કોરોના સંક્રમણ બાળકોનો રંગ જોઈને નિશાન બનાવે છે. એક બાદ એક થયેલા અભ્યાસોમાં આ વાત સામે આવી છે. કે મહામારી અશ્વેત બાળકોને વધુ પ્રભાવિત કરે છે.
શ્વેતોની તુલનામાં અશ્વેત બાળકોનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર પાંચથી આઠ ગણો વધુ છે. અને મૃત્યુ પણ વધુ થઈ રહ્યા છે. જે બાળકોમાં જીવલેણ મલ્ટી સિસ્ટમ ઈન્ફલેમેટરી સિન્ડ્રોમ જોવા મળ્યું એ તમામ અશ્વેત હતા.
સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર અમેરિકામાં મૃત્યુ પામનાર બાળકોમાં મોટાભાગનાં અલ્પસંખ્યક સમાજના બાળકો હતા. મોટભાગના બાળકોના માતા-પિતા કમજોર છે. સાથે જ સેવાઓ સાથે જોડાયેલા છે. જેથી તેમનું બહાર આવવા જવાનું વધું હોવાથી સંક્રમણનું જોખમ રહેલું છે.