દુનિયાભરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ભારતમાં તેની પડનાર અસર અને તેને લઇને જાહેર કરાયેલા લોકડાઉનને ખોલવાના ઉપાયો પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના હાર્વર્ડના આરોગ્ય વિશેષજ્ઞ આશિષ ઝા અને પ્રોફેસર જોહાન સાથે વાતચીત કરી. રાહુલ ગાંધીની આ પ્રકારની આ ત્રીજી ચર્ચા હતી. આ અગાઉ રાહુલ ગાંધીએ ભારતીય રીઝર્વ બેંકના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન અને નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી સાથે વાતચીત કરી હતી.
કોરોના સંકટ પર રાહુલ ગાંધીની ખાસ ચર્ચા
બે વિશેષજ્ઞ સાથે રાહુલ ગાંધીએ કર્યો સંવાદ
રાહુલ ગાંધી સાથેની વાતચીમાં હાર્વર્ડ આરોગ્ય વિશેષજ્ઞ આશિષ ઝાએ કહ્યું કે લોકડાઉન પછી હવે જ્યારે અર્થવ્યવસ્થા ખુલી ગઇ છે, તમારે ભરોસો ઉભો કરાવવો પડશે. ઝાએ કહ્યું કે કોવિડ-19 '12 થી 18 મહિનાની સમસ્યા છે, જેમાંથી 2021 પહેલા છુટકારો મળવાની શક્યતા ઓછી છે'
આશિષ ઝાએ કહ્યું કે વધારે જોખમવાળા ક્ષેત્રોમાં વધારે ઝડપથી તપાસ કરવાની રણનીતિ બનાવાની આવશ્યકતા છે. આરોગ્ય વિશેષજ્ઞ ઝાએ કહ્યું કે આપણે મોટી મહામારીના સમયગાળાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યાં છે. આપણે જે વૈશ્વિક મહામારી જોઇ રહ્યાં છે, તે અંતિમ નથી.
"Yeh bhaiya bataiye ki vaccine kab aayegi?," Rahul Gandhi to public health expert Prof Ashish Jha, to which Jha says, "I am very confident a vaccine will come by next year". pic.twitter.com/xBUb6zLXKI
આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂછ્યું કે અરે ભાઇ એ જણાવો કે વેક્સીન ક્યારે આવશે? જેના જવાબમાં આશિષ ઝાએ કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા વર્ષ સુધીમાં વેક્સીન આવી જશે. ભારતે તેને લઇને પ્લાન બનાવવો પડશે, કારણ કે ભારતને 50 કરોડથી વધારે વેક્સીન બનાવવી પડશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકા, યુકે, ઇઝરાયલ જેવા દેશોમાં વેક્સીન બનાવવાને લઇને કામ ચાલી રહ્યું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તેનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. એવામાં આશા છે કે આ વર્ષના અંત સુદીમાં વેક્સી માર્કેટમાં આવી શકે છે.