ટેડ્રોસ અધાનોમ ગેબ્રિયેસુસએ ચેતવણી આપી છે કે આપણે આ કોરોના મહામારીના બીજા વર્ષમાં છીએ. આ પહેલા વર્ષથી વધારે ઘાતક સાબિત થઈ શકે છે.
WHOએ આપી ખાસ ચેતવણી
હજુ પણ વધારે ઘાતક સાબિત થઈ શકે છે કોરોના
પહેલા વર્ષથી વધારે ઘાતક સાબિત થઈ શકે છે બીજું વર્ષ
કોરોનાની પહેલી લહેરના સમયે સોશ્યલ મીડિયા પર ખાસ કરીને 2020ને ખરાબ ગણાવાયું. મહામારીથી ગુસ્સાના કારણે 2021ના વર્ષના સ્વાગતના સમયે પણ તેને લઈને ટ્વિટર ટ્રેન્ડ થયું હતું પણ હવે એક્સપર્ટનું કહેવું છે કે આ વર્ષે કોરોના મહામારી ઘણી વધારે ઘાતક બની શકે છે. ભારત હજુ કોરોનાની બીજી લહેરમાં ફસાયું છે તેને લઈને આ અંદાજ રાખવામાં આવી રહ્યો છે. ભારતની સાથે જાપાન પણ મહામારીની ઝપેટમાં છે અને દેશમાં ઈમરજન્સી લાગૂ કરાઈ છે.
WHOએ આપી ચેતવણી
WHOના ટેડ્રોસ અધાનોમ ગેબ્રિયેસુસએ ચેતવણી આપી છે કે આપણે આ કોરોના મહામારીના બીજા વર્ષમાં છીએ. આ પહેલા વર્ષથી વધારે ઘાતક સાબિત થઈ શકે છે. આ સાથે WHOના અમીર રાષ્ટ્રોને અપીલ કરાઈ છે કે હવે બાળકોના વેક્સીનેશનને માટે વિચારવામાં આવે. WHOએ આ દેશોને સલાહ આપી છે કે કોવેક્સ યોજનાના આધારે ગરીબ દેશને કોરોનાની વેક્સીનનું દાન કરવામાં આવે.
ફરી શંકાના દાયરામાં આવ્યું ચીન
આ સમયે દુનિયાના શીર્ષ વૈજ્ઞાનિકોના એક સમૂહે કહ્યું કે વાયરસથી ચીનના લૈબથી લીક થવાની થિયરીને તોડી શકાશે નહીં. વર્ષ 2019ના અંતમાં ચીનમાં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ આવ્યો હતો. આ પછી આ વાયરસે વૈશ્વિક સ્તરે 30 લાખ લોકોને સંક્રમિત કર્યા, અરબો ડોલરના આર્થિક નુકસાન બાદ સાત બિલિયન લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
WHO ની તપાસ પર સવાલ
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે WHOના કોરોના વાયરસની સંક્રમણની ઉત્પત્તિ અને તેના ફેલાવવાને લઈને વુહાનમાં તપાસ કરાઈ છે દેમાં દરેક પાસાનું ધ્યાન રખાયું નથી.