સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે દેશમાં કોરોનાની હાલત કથળી રહી છે. કોરોના દર્દીઓની સંખ્યા ઓછી થવાને બદલે વધી રહી છે. ન્યાયાધીશ રોહિંગ્ટન એફ નરિમનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠે આ ટિપ્પણીઓ પંજાબના ઉદ્યોગપતિ જગજીતસિંહ ચહલની પેરોલ અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી. કારણ કે ચહલ સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે.
કોરોના દર્દીઓની સંખ્યા ઓછી થવાને બદલે વધી રહી છે
ઉદ્યોગપતિ ચહલની પેરોલ અરજી પર સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી
બે કર્મચારીઓ પોઝિટિવ જોવા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી બંધ
ન્યાયાધીશ નરીમને કહ્યું કે ગત દિવસોમાં કોરોનાની સ્થિતિ સારી નથી થઈ રહી. પરંતુ પરિસ્થિતિ ફક્ત વધુને વધુ કથળી રહી છે. ખંડપીઠે કહ્યું કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ મતલબ નથી કે પેરોલ પરના વ્યક્તિને ફરી એક ભીડભાડવાળી જેલમાં મોકલી દેવામાં આવે. એમ કહીને ખંડપીઠે ચહલની પેરોલ ત્યાં સુધી લંબાવી કે જ્યાં સુધી અપીલ હાઇકોર્ટમાં પેન્ડીંગ છે.
બે કર્મચારીઓ પોઝિટિવ જોવા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી બંધ
સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીના એડિશનલ રજિસ્ટ્રાર સહિત બે લોકોની કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળતાં કોર્ટમાં ફાઇલિંગને આવતા ત્રણ દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ફાઇલિંગ વિભાગને સેનિટાઇઝ કરવાને કારણે તેને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં દોઢ ડઝન જેટલા કમર્ચારીઓ કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. ત્યારે વરિષ્ઠ એડવોકેટ રાજીવ નાયરના કલર્ક વિનોદ કુમારનું કોરોનાથી અવસાન થયું છે.