શિવરાજ સરકારે ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં કલમ 188 લગાવીને દર રવિવારે લોકડાઉન જાહેર કર્યું. લોકડાઉનમાં ઈમરજન્સી વિના બહાર નીકળવા પર ધરપકડના આદેશ આપ્યા છે.
કોરોના વાયરસના કેસ વધતા શિવરાજ સરકારનો નિર્ણય
મધ્યપ્રદેશમાં ઇન્દોર, ભોપાલ, જબલપુરમાં રવિવારે લોકડાઉન જાહેર
ઇન્દોર, ભોપાલ, જબલપુરમાં દર રવિવારે લોકડાઉન રહેશે
ઇન્દોર, ભોપાલ, જબલપુરમાં સ્કૂલ અને કોલેજ 31 માર્ચ સુધી બંધ રહેશે
કોરોના મહામારીને લઈને હવે આઠ મહિના પહેલાની સ્થિતિ ફરી આવી છે. એમપીના 3 શહેરો ઇન્દોર, ભોપાલ, જબલપુરમાં પહેલું લોકડાઉન શનિવારે રાતે 10 વાગ્યાથી શરૂ થયું છે. આ લોકડાઉન સોમવાર સવારે 6 વાગ્યા સુધી ચાલશે. આ સમયે અહીં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે.
Maharashtra: MPSC State Service Prelims exam being conducted in Nagpur, amid complete lockdown imposed in the city due to a rise in COVID19 cases pic.twitter.com/UVBCARUDnw
કલમ 188 કરાઈ લાગૂ
પ્રશાસને 3 શહેરોમાં લોકડાઉનની કલમ 188 લાગૂ કરી છે. તેના આધારે તમે કારણ વિના ઘરની બહાર નીકળ્યા છો તો ગિરફ્તાર થશો. અન્ય તરફ 21 માર્ચથી MPSC પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ પરીક્ષાર્થીઓ એડમિટ કાર્ડ બતાવીને પરીક્ષા સેન્ટર સુધીની અવર જવર કરી શકશે.
Madhya Pradesh: One-day lockdown imposed in Jabalpur, due to COVID19 surge
The State government has announced that lockdown will be imposed every Sunday in Indore, Bhopal & Jabalpur until further orders pic.twitter.com/7q0IfcBfEv
સ્વાસ્થ્ય વિભાગે જાહેર કર્યા કોરોનાના આંકડા
મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1307 નવા કેસ મળ્યા છે. તેમાં 59 ટકા કેસ ઈંદોર, ભોપાલ અને જબલપુરના છે. છેલ્લા 7 દિવસમાં એક્ટિવ કેસમાં 64 ટકા વધારો થયો છે. સૌથી ચિંતા જનક સ્થિતિ ઇન્દોર, ભોપાલ, જબલપુરમાં છે. આ કારણે આ 3 શહેરોમાં દર રવિવારે ટોટલ લોકડાઉન જાહેર કરાયું છે.
भोपाल: मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान ने बढ़ते हुए कोविड मामलों के मद्देनजर न्यू मार्केट एरिया में जाकर लोगों को मास्क बांटे। #COVID19pic.twitter.com/wVoZcZ97D8
અનેક જગ્યાઓએ બન્યા ચેકિંગ પોઈન્ટ્સ
ડીઆઈજી ઈરશાદ વલીએ કહ્યું કે ભોપાલમાં સુરક્ષા વ્યવસ્થા અને ચેકિંગ પોઈન્ટ્સ લગાવાયા છે. લોકડાઉનના સમયે શહેરમાં 3000થી વધારે પોલીસ તૈનાત રહેશે. આઉટર અને ઇન્ટરનલ નાકા પર વિશેષ બળ લગાવાશે. શહેરમાં સાંચી પાર્લર અને કરિયાણાની દુકાનો પણ ખુલશે નહીં. કોઈ પણ ટ્રાન્સપોર્ટ શહેરમાં કામ કરશે નહીં.
The State government has announced that lockdown will be imposed every Sunday in Indore, Bhopal & Jabalpur until further orders. Schools & colleges in these 3 cities to remain closed till 31st March pic.twitter.com/fpgMgnYft9
નિયમ તોડવા પર દુકાનો કરાશે સીલ
કલેક્ટરના આદેશ અનુસાર પ્રશાસન લોકડાઉનના સમયે કડક વલણ રાખશે. કોરોના ઝડપથી માથું ઉચકી રહ્યો હોવાના કારણે બજારમાં અનિયંત્રિત ભીડ રહે છે. દુકાનો પર દંડની જોગવાઈ કરાઈ છે. આદેશમાં કહેવાયું છે કે જો દુકાનદાર નિયમોનું ઉલ્લંઘન કરે છે તો 5000 રૂપિયાનો દંડ કરાશે. આ પછી નહીં માને તો ત્રીજી વારમાં 2 ગણો એટલે કે 10000નો દંડ લેવાશે. અને નહીં માને તો દુકાન પણ સીલ કરી દેવાશે.