કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે થતા દવાના છંટકાવને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયનું કહેવું છે કે આ છંટકાવ શારિરીક અને માનસિક બંને રૂપે હાનિકારક છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
કોરોના સંક્રમણથી બચવા કરાય છે દવાનો છંટકાવ
દવાનો છંટકાવ શારીરિક અને માનસિક રીતે કરે છે નુકસાન
એડવાઝરીમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ કોરોના વાયરસના સંપર્કમાં આવ્યું છે તો તેના શરીર પર દવાઓના છંટકાવથી વાયરસ ખતમ થતો નથી. મંત્રાલયનું કહેવું છે કે કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ મથી પણ તેનીકેટલાક જિલ્લામાં સ્થાનિક રીતે કરાય છે દવાના છંટકાવનો ઉપયોગ પુષ્ટિ કરીને તેનાથી શરીરનો બહારનો ભાગ સંક્રમણ મુક્ત કરી શકાય છે.
મંત્રાલયે કહ્યું કે લોકોને સંક્રમણથી બચાવવા કે તેમને મુક્ત કરવા માટે સોડિયમ હાઈપોક્લોરાઈટ જેવી દવાઓના છંટકાવના પ્રભાવથી સંબંધિત પ્રશ્નો કર્યા હતા. મંત્રાલયે કહ્યું કે લોકો પર દવાના છંટકાવને ઘણો વેગ મળી રહ્યો છે. કેટલાક જિલ્લામાં સ્થાનિક રીતે તેનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે.
શું છે વાયરસ
દવાનો છંટકાવ એ વાયરસનાશક એક રસાયણ છે. જે રોગ ઉત્પન્ન કરનારા અને હાનિકારક સુક્ષ્મજીવોને નષ્ટ કરે છે. આ એ પદાર્થોને પણ દૂર કરે છે જે નિર્જીવ વસ્તુઓ પર રાસાયણિક ગુણોના કારણે વાપરવામાં આવે છે. દર્દીઓ જે જગ્યાઓને વારંવાર અડે છે તેને સંક્રમણ મુક્ત કરવા માટે આ દવા ઉપયોગી છે.
એડવાઈઝરીમાં કરાયો છે આ ઉલ્લેખ
આ પ્રક્રિયામાં સાવધાની રાખવાની જરૂર છે. વ્યક્તિઓ અને સમૂહો પર કોઈ પણ પ્રકારે આવી દવાઓનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવતી નથી. કોઈ પણ વ્યક્તિ કે સમૂહ પર સાસાયણિક દવાનો છંટકાવ શારીરિક અને માનસિક રીતે નુકસાન કરે છે.
દવાના છંટકાવમાં ક્લોરીનના કારણે લોકોને આંખ, ચામડી અને ઉલ્ટી જેવી સમસ્યા થઈ શકે છે. સોડિયમ હાઈપોક્લોરાઈટના ઉપયોગથી મ્યૂક્સ બનવાથી નાક, ગળા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ સિવાય અનેક કામમાં સંક્રમણમુક્ત બનવાની ધારણા પણ રહે છે. સામાજિક દૂરી અને હાથ ધોવા જેવી સુરક્ષાત્મક વાતોને તે નુકસાન પહોંચાડી શકે છે.