ભારતમાં કોરોના વાયરસનાં કેસ ફરીથી વધી રહ્યા છે ત્યારે ગૃહમંત્રાલયે રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે.
ભારતમાં કોરોના વાયરસનાં કેસોમાં વધારો
કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપ્યા આદેશ
વર્તમાનમાં લાગુ નિયમો 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયા
કોરોના સંક્રમણને રોકવા માટે લાગુ નિયમોને 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયા
કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના વાયરસનાં વધતાં પ્રભાવને રોકવા માટે પહેલાથી લાગુ નિયમોને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને તહેવારોની સીઝનમાં ભડ ભીડ એકત્ર ન થવા દેવાના આદેશ આપ્યા છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવશ્યકતા અનુસાર લૉકલ સ્તર પર પ્રતિબંધો લગાવવામાં આવે.
#COVID19 containment measures will remain in force up to September 30th, 2021: Ministry of Home Affairs (MHA) pic.twitter.com/QOuMa01STR
ભારતમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ
નોંધનીય છે કે ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસ મહામારીમાંથી થોડી રાહત મળી છે પરંતુ દક્ષિણનાં રાજ્યો જેમાં ખાસ કરીને કેરળમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં શનિવારે 46,759 નવા કોરોના કેસ નોંધાયા છે જ્યારે 31,374 દર્દીઓએ કોરોનાને મહાત પણ આપી છે, સાથે 509 લોકોની સંક્રમણનાં કારણે મોત થઈ છે.
કેરળનાં વધતાં કેસનાં કારણે એક્ટિવ કેસો વધ્યા
ચિંતાની વાત છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હવે વધી રહી છે, જે વધીને હાલ 3.59 થઈ ગઈ છે. ત્યાં જ અત્યાર સુધીમાં 4,37,370 લોકોએ કોરોના વાયરસનાં કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.