દેશની રાજધાની દિલ્હી પર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અહીં રોજ સેંકડોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કેજરીવાલે રણનીતિમાં બદલાવ કર્યો છે.
દેશની રાજધાની દિલ્હી પર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે
અમે પૂર્ણ રીતે તૈયાર છીએ, સ્થાયી રૂપે લૉકડાઉન કરી શકતા નથી : કેજરીવાલ
દિલ્હી સરકાર હવે બંધ હોટલોને ક્વૉરન્ટીન સેન્ટરમાં બદલવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હીની હોસ્પિટલોની પાસે જે મોટા હોટલ છે, તેને હોસ્પિટલોનો ભાગ બનાવી દેવામાં આવશે. હોસ્પિટલોના દર્દીઓ આ હોટલોમાં રોકાશે, જ્યાં ડૉક્ટરો તેમને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી સ્વીકાર્યું કે દિલ્હીમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ ચિંતા કરવાની કોઇ જરૂર નથી. હું આપને વિશ્વાસ અપાવું છું કે આપણે પૂર્ણ રીતે તૈયાર છીએ. તેઓએ સાથે કહ્યું કે અમે સ્થાયી રૂપે લૉકડાઉન કરી શકતા નથી. કેજરીવાલે કહ્યું કે આજે કોઇ એ ન કહીં શકતું કે એક મહીના અથવા બે મહીના વધુ લૉકડાઉન કરી લો તો કોરોના વાયરસ ઠીક થઇ જશે. કોરોના વાયરસ રહેશે, જો કોરોના વાયરસ રહેશે તો કોરોના વાયરસની સારવાર વ્યવસ્થા કરવી પડશે. અમારી સરકાર પૂર્ણ રીતે દર્દીઓની સારવાર પર ધ્યાન આપી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી હોવાને પગલે મને બે વસ્તુની ચિંતા રહેશે. પહેલું કે દિલ્હીમાં કોરોનાને કારણે મોતનો આંકડો વધવા લાગશે તો, બીજુ માની લો કે, કોરોના વાયરસના 10,000 દર્દીઓ છે અને અમારી પાસે 8,000 બેડ છે તો આ અમારા માટે ચિંતાનો વિષય છે. તેઓએ આગળ કહ્યું કે આજે દિલ્હીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 17,386 છે. તેમાંથી 2100 દર્દીઓ હોસ્પિટલમાં છે. બાકી લોકો ઘરોમાં છેસ, તેઓ પોતાના ઘરે સારવાર કરાવી રહ્યા છે. ગત સપ્તાહે અમે ઓર્ડર જારી કર્યા છે કે દિલ્હીમાં 9500 બેડ તૈયાર થઇ જશે.
કેજરીવાલે કહ્યું કે એક એપ બનાવામાં આવી છે, તેની હાલ ટેસ્ટિંગ ચાલી રહી છે. સોમવારે તેને લોન્ચ કરવામાં આવશે. આ એપમાં આપને તમામ હોસ્પિટલોનો ડાટા મળશે, કે કઇ હોસ્પિટલમાં કેટલા બેડ અને વેન્ટિલેટર છે અને કેટલી ખાલી છે. દિલ્હીમાં ગત કેટલા દિવસોથી રોજ 1000થી વધારે લોકો કોરોના વાયરસ પોઝિટિવ આવી રહ્યા છે. એવામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ પ્રેસ કોન્ફરન્સ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. આ એક સપ્તાહમાં પાંચ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 17386 લોકો કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા છે. તેમાંથી 398 લોકોના મોત થઇ ચૂક્યા છે અને 7846 લોકો સ્વસ્થ્ય થયા છે. દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ એક્ટિવ કેસની જો વાત કરવામાં આવે તો લગભગ 50 ટકા લોકો તેમના ઘરોમાં જ ક્વૉરન્ટીન કરાયા છે.
દેશમાં કોરોના વાયરસના કેસની વાત કરીએ તો, ગત 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડ 7,964 કેસ નોંધવામાં આવ્યા છે અને 265 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,73,763 થઇ ગઇ છે. જ્યારે સારા સમાચાર છે કે દેશમાં 82,370 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં હાલ 86,422 એક્ટિવ કેસ છે અને કુલ 4971 લોકોના મોત થઇ ચૂક્યા છે.