નિષ્ણાંતો જણાવી રહ્યાં છે કે કોરોના વાયરસ ક્યારેય પણ ખતમ નહીં થાય તેના થોડા ઘણા કેસો તો આવતા રહેશે. કારણ કે વાયરસ સતત સ્વરુપ બદલી રહ્યો છે.
નિષ્ણાંતોએ જણાવ્યું- કોરોના વાયરસ ફક્ત જીવવા માટે બદલતો રહેશે સ્વરુપ
વાયરસ ખતમ થવાની સંભાવના ઘણી મુશ્કેલ
નાના મોટા કેસ તો આવતા રહેશે
વૈશ્વિક મહામારી સ્થાનિક મહામારીનું સ્વરુપ લઈ લેશે
છુટાછવાયા કેસો આવતા રહેશે
દિલ્હીની એલએનજેપી હોસ્પિટલના ડિરેક્ટર સુરેશ કુમારે જણાવ્યું કે કોરોનાના થોડા ઘણા કેસો તો આવતા રહેશે. શુન્ય એક અસંભવ આંકડો છે. વાયરસ સ્વરુપ બદલી રહ્યો છે તેથી ભવિષ્યમાં તેના વ્યવહારનું અનુમાન લગાડવું મુશ્કેલ છે.
ફક્ત જીવવા માટે સ્વરુપ બદલી રહ્યો છે કોરોના
ફરીદાબાદ અમૃતા હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો. સંજીવ સિંહે જણાવ્યું કે આ એક એમઆરએનએ વાયરસ છે જે સતત પોતાનું બંધારણ બદલી રહ્યો છે. આ વાયરસ સ્માર્ટ છે અને જીવવા માટે સતત પોતાનું રુપ બદલી રહ્યો છે.
1-2 વર્ષમાં સ્થાનિક મહામારીમાં બદલી જશે કોરોના
આઈવીએફ નિષ્ણાંત ડો. ગૌરી અગ્રવાલે જણાવ્યું કે સંપૂર્ણરીતે વાયરસનો ખાતમો થવો અસંભવ છે. 12-24 મહિનામાં કોરોના સ્થાનિક મહામારીમાં બદલાઈ જશે.
કાનપુર આઈઆઈટીના આ સ્ટડીમાં ત્રીજી લહેર અંગે મોટો દાવો કરાયો છે.
કાનપુર આઈઆઈટીની ટીમના વૈજ્ઞાનિકોમાં સામેલ પ્રોફેસર મનિંદર અગ્રવાલે કહ્યું કે અમે કોરોનાની ત્રીજી લહેર અંગે ત્રણ સંભવિત સ્થિતિઓની ભવિષ્યવાણી કરી છે.
તેમણે કહ્યું કે ત્રીજી લહેર ઘણી નાની હોઈ શકે. તે નબળી પણ હોઈ શકે. જો કોઈ ઝડપી ગતિએ ફેલનાર મ્યુટેંટ ન રહ્યો તો તે નબળી રહેશે. પરંતુ જો વાયરસનું કોઈ સ્વરુપ ઝડપથી ફેલાશે તો ત્રીજી લહેર પહેલી લહેર જેવી હશે.
નવું વેરિયન્ટ ન આવ્યું તો ઓગસ્ટ સુધીમાં સ્થિતિ સામાન્ય બનશે
પ્રોફેસરે અગ્રવાલે કહ્યું કે જે સૌથી વધારે આશાસ્પદ અનુમાન છે તે એ છે કે ઓગસ્ટ સુધીમાં જીવન સામાન્ય સ્તરનું થઈ જશે જોકે તેને માટે કોઈ નવા વેરિયન્ટનું આગમન ન થવું અગત્યનું છે. જો કોઈ વાયરસનું વેરિયન્ટ આવ્યું તો પછી ત્રીજી લહેર પહેલી લહેર જેવી બની શકે છે. બીજું અનુમાન એ છે કે વેક્સિનેશનલ 20 ટકા ઓછું અસરકારક રહેશે. ત્રીજી સ્થિતિ એવી છે કે ઓગસ્ટમાં એક નવું વેરિયન્ટ આવી શકે છે જે 35 ટકા વધારે ચેપી હશે.