દેશના ટોચના વાયરોલોજિસ્ટ ડો.શાહીદ જમીલે એવું જણાવ્યું કે દેશમા મે મહિનાના અંત સુધી કોરોનાની બીજી લહેર ચાલશે.
દેશના ટોચના વાયરોલોજિસ્ટ ડો.શાહીદ જમીલનો દાવો
મે મહિનાના અંત સુધી ચાલશે કોરોનાની બીજી લહેર
ત્યાં સુધી દેશમાં દરરોજ આવી શકે છે 3 લાખ દૈનિક કેસ
ડો.શાહીદ જમીલે જણાવ્યું કે અત્યાર માંડીને મે મહિનાના અંત સુધી દેશમાં દરરોજ દૈનિક સંક્રમણની સંખ્યા 3 લાખ સુધી પહોંચી શકે છે. નવા કેસોની સંખ્યા જે ગતિએ વધી રહી છે તે ખરેખર ડરામણી છે. જો આપણે એક્ટિવ કેસ ગ્રોથ તરફ નજર દોડાવીએ તો આ લગભગ દરરોજ 7 ટકાના દરથી આગળ વધી રહી છે. આ ટકાવારી ઘણી વધારે છે. જો આ જ ગતિએ કેસો વધતા રહ્યાં તો આપણે રોજના 3 લાખ કેસોની તૈયારી રાખવી પડશે.
15 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે મહામારીના વળતા પાણી થવાની શક્યતા- IIT કાનપુર
આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોએ પણ કોરોનાની બીજી લહેર પર એક આગાહી કરી છે. તેમણે કહ્યું કે 15 એપ્રિલથી 20 એપ્રિલની વચ્ચે મહામારીના વળતા પાણી થવાની શક્યતા છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આગામી બે અઠવાડિયામાં કોવિડ-19 ની બીજી લહેરમાં ઘટાડો આવી શકે છે.
પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા
ભારતમાં કોરોના સંક્રમણ બેકાબુ રફ્તાર ચાલુ છે. દેશમાં કોરોનાના દર્દીઓ અને મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ મામલા હવે 13 લાખને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં દેશમાં સતત દોઢ લાખથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.
24 કલાકમાં 1.85 લાખથી વધારે નવા કેસ આવ્યા
વર્લ્ડોમીટર અનુસાર ગત 24 કલાકમાં 1.85 લાખથી વધારે નવા કેસ આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1.38 કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે 1 હજારથી વધારે મોત થતા કુલ મોતનો આંક 1, 72, 115 થઈ ગઈ છે. ગત દિવસોમાં સતત પોઝિટિવ આવનારા મામલાની સાથે કોરોનાથી સાજા થનારાના દરમાં ઘટાડો થયો છે.કોરોના પર કાબુ મેળવવા માટે મહારાષ્ટ્રમાં આજ રાત 8 વાગ્યાથી કડક નિયમો લાગૂ થશે. મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેન નામનુ અભિયાન હેઠળ 15 દિવસ સુધી કલમ 144 લાગૂ રહેશે. આ દરમિયાન ફક્ત જરુરી સેવાઓ માટે ઘરની બહાર નિકળી શકશો.