કોરોના વાયરસના કારણે પાછલા 2 વર્ષોથી દુનિયા મહામારી સામે ઝઝૂમી રહી છે. દુનિયાભરમાં કરોડો લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. હવે નવી સ્ટડીમાં સાયન્ટિસ્ટ દાવો કરી રહ્યા છે કે Hybrid Immunity ભવિષ્યમાં કોરોના મહામારીને કાબૂમાં કરી શકશે.
Hybrid Immunity વાળા લોકોમાં કોરોનાથી પ્રોટેક્શન સૌથી મજબૂત
નવા નવા વેરિએન્ટને ધ્યાનમાં રાખીને Hybrid Immunity ખૂબ જ જરૂરી
હજુ પણ ઘણા દેશોમાં વેક્સીનેશનની રફ્તાર ચિંતાનું કારણ
દુનિયા લગભગ 2 વર્ષોથી કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહી છે. વેક્સીનના બૂસ્ટર ડોઝ બાદ પણ સંક્રમણ રોકાઈ નથી રહ્યું અને વાયરસના નવા નવા વેરિએન્ટ આવી રહ્યા છે. આટલું જ નહીં મેડિકલ સાયન્સ આ વિશે કંઈ પણ ચોક્કસ કહી શકવાની સ્થિતિમાં નથી કે આખરે આ વાયરસનું પરિણામ ક્યારે મળશે? એવામાં હવે સાયન્ટિસ્ટ્સે Hybrid Immunityને કોરોના વિરૂદ્ધ અચુક હથિયાર જણાવ્યું છે.
નવી સ્ટડીમાં ઘણી વાતો સામે આવી છે જેનાથી કોરોનાથી બચવાની દિશામાં મોટો ક્લૂ મળી શકે છે. તેનાથી જાણકારી મળે છે કે કયા લોકો પર કોરોના વાયરસ ઓછી અસર બતાવે છે અને કયા લોકોમાં કોરોના વાયરસ પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. ઈમ્યુનિટીનો કોરોનાથી બચાવમાં કેટલો રોલ છે અને આગળ જઈને કયા હેલ્થ ફેક્ટર કોરોનાથી વ્યક્તિની જંગમાં વધારે મદદગાર સાબિત થશે?
શું છે Hybrid Immunity?
હાઈબ્રિડ ઈમ્યુનિટી શરીરની અંદર એ લડવાની તાકત છે જે વાયરસના ઈન્ફેક્શન એટલે કે હર્ડ ઈમ્યુનિટી અને વેક્સીન લીધા બાદ શરીરની અંદર પેદા થાય છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે દુનિયામાં કરોડો લોકો સંક્રમિત થયા છે અથવા તો વાયરસના અસરમાં આવેલી તેમના શરીરમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ ગઈ છે અને એવામાં Hybrid Immunity મોટી સંખ્યામાં લોકોને ફ્યુચરમાં સંક્રમણથી બચાવવામાં કારગર સાબિત થઈ શકે છે.
કઈ રીતે વધારે ઈફેક્ટીવ છે Hybrid Immunity?
હાલમાં જ કરવામાં આવેલી એક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે ફક્ત સંક્રમણ અથવા વેક્સીનેશનથી બનેલી એન્ટીબોડીની તુલનામાં Hybrid Immunity વધારે પ્રભાવી છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે એક શખ્સ જે સંક્રમિત થઈ ચુક્યો છે અને વેક્સીનનો એક ડોઝ પણ લઈ ચુક્યો છે તેનામાં એવા લોકોની તુલનામાં 58 ટકા રિ-ઈન્ફેક્શનના ચાન્સ છે. તેની તુલનામાં જે લોકોના શરીરમાં નેચરલ ઈમ્યુનિટી વિકસિત થઈ છે. જ્યારે બે ડોઝ Hybrid Immunity વાળા લોકોમાં રિ-ઈન્ફેક્શનના 66 ટકા ઓછા ચાન્સ હોય છે.
ભારતમાં થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું કે એક ડોઝ વેક્સીન પ્લસ નેચરલ ઈમ્યુનિટીથી ઉત્પન્ન એન્ટીબોડીથી કોરોના વિરૂદ્ધ સૌથી વધારે પ્રોટેક્શન મળે છે. જેના હેઠળ ઈઝરાયલમાં થયેલી એક સ્ટીડમાં જાણવા મળ્યું કે ફક્ત બે ડોઝ વેક્સીન અથવા નેચરલ ઈમ્યુનિટીની તુલનામાં હાઈબ્રિડ ઈમ્યુનિટીની અસર ખૂબ વધારે હોય છે.
Hybrid Immunityની મર્યાદા
જોકે તેની એમુક મર્યાદા પણ છે. કારણ કે દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં અત્યાર સુધી વેક્સીનેશન ખૂબ જ ઓછુ થયું છે. ખાસ કરીને આફ્રીકા અને એશિયાના ઘણા દેશોમાં. આ જગ્યાઓ પર હાઈબ્રિડ ઈમ્યુનિટી મોટી સંખ્યામાં લોકોમાં વિકસિત હોવામાં સમય લાગશે અને તેમાં કોરોનાના વિરૂદ્ધ મજબૂત પ્રોટેક્શન મળવામાં સમય લાગશે.
તે ઉપરાંત ઓમિક્રોન જેવા નવા નવા વેરિએન્ટને લઈને હવે જ્યારે અપડેટ વેક્સીન આવવાની પ્રોસેસમાં છે તો હાઈબ્રિડ ઈમ્યુનિટી વધુ મહત્વની થઈ જાય છે કારણ કે સાયન્ટિસ્ટ્સ આવનાર સમયમાં વધારે વેરિએન્ટ્સના આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દુનિયામાં શું છે વેક્સીનેશનની સ્થિતિ?
જો દુનિયાના આંકડાને જોઈએ તો 68 ટકા લોકો વેક્સીનનો ઓછામાં ઓછો 1 ડોઝ લઈ ચુક્યા છે. જ્યારે 62 ટકા લોકો કોરોના વેક્સીનના બે ડોઝ લઈ ચુક્યા છે. ત્યાં જ 26 ટકા લોકો બે ડોઝથી વધુ વેક્સીનના ડોઝ લઈ ચુક્યા છે. જો ભારતમાં વેક્સીનેશનના આંકડા જોવામાં આવે તો અહીં 74 ટકા લોકોને વેક્સીનના ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચુક્યો છે.
66 ટકા લોકો વેક્સીનના બે ડોઝ લઈ ચુક્યા છે જ્યારે ફક્ત 2.7 ટકા લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લગાવ્યો છે. ત્યાં જ ઈંગ્લેન્ડ અને ઈઝરાયલ જેવા ઘણા દેશો પોતાના લોકોને વેક્સીનનો ચોથો ડોઝ લગાવી રહ્યા છે. સાયન્ટિસ્ટનો અનુમાન છે કે નવા નવા વેરિએન્ટ્સને ધ્યાનમાં રાખીને દર વર્ષે લોકોને અલગ અલગ વેક્સીનના ડોઝ લગાવવા પડી શકે છે.