કોરોના વેક્સીનેશન કાલ એટલે કે 16 જાન્યુઆરીથી શરુ થનવાનું છે. તેની પહેલા અનેક પ્રકારની આશંકાઓ અને ભ્રમ પેદા થઈ રહ્યા છે. રસીને લઈને ફેલાઈ રહેલી અફવાઓને સરકાર સતત દુર કરવાનો પ્રયાસ કરી રહી છે. ગત દિવસોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી આ અંગે ગંભીરતાથી પહોંચી વળવાની વાત કરી હતી. હાલમાં કોરોનાની રસી પુરુષો અને મહિલાઓમાં નપુસંકતાની અફવા ફેલાવવામાં આવી છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પોતે આ અંગે જવાબ આપ્યો છે.
કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે
સરકારના સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરો
નપુસંક થઈ શકે છે એ વાત સાવ બકવાસ છે
કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે.
એક ટ્વીટમાં હર્ષવર્ધને લોકોની ચિંતાઓને દુર કરતા કહ્યું કે હજું સુધી કોઈ પણ વૈજ્ઞાનિક પુરાવા એવા નથી જેનાથી જાણી શકાય કે કોરોનાની રસીથી મહિલા અથવા પુરુષોમાં નપુસંકતા આવી શકે છે. તેમણે આગળ લખ્યું કે કૃપ્યા એવી કોઈ પણ અફવા અથવા અપુષ્ટ સ્ત્રોતોથી મળતી માહિતી પર ધ્યાન ન આપે.
સરકારના સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરો
તેમણે ગ્રાફિક્સ શેર કર્યું છે જેમાં લખ્યું છે કે જેમાં લખ્યું છે કે કોવિડ 19થી નપુસંકતા આવવાની કોઈ જાણકારી નથી. તેવામાં કોવિડ 19 વિશે યોગ્ય માહિતી મેળવવા માટે મહેરબાની કરીને સરકારના સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરો.
નપુસંક થઈ શકે છે એ વાત સાવ બકવાસ છે.
આની પહેલા DCGIના નિર્દેશક વીજી સોમાનીએ કહ્યું હતું કે જો સુરક્ષાની સાથે જોડાયેલો સંકોચ હોય તો તેવામાં કોઈ વસ્તુને પરવાનગી મળતી નથી. આ રસી 110 ટકા સુરક્ષિત છે. હળવા તાવ, દુખાવા અને એલર્જી જેવા કેટલીક આડ અસર સામાન્ય વાત છે. રસીથી લોકો નપુસંક થઈ શકે છે એ વાત સાવ બકવાસ છે.
આ રીતે ફેલાઈ અફવા
આ સમગ્ર વહેમ સમાજવાદી પાર્ટીના એમએલસી આશુતોષ સિંહાના એ નિવેદનથી ફેલાયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે અખિલેશ યાદવ રસી નથી લગાવી રહ્યા તો અમને લાગે છે કે ક્યાંકને ક્યાંક રસીમાં કેટલીક એવી વસ્તુઓ હશે જેનાથી નુકસાન થાય. મને લાગે છે કે પછીથી લોકો કહેશે કે જનસંખ્યા ઓછી કરવા માટે, મારવા માટે રસી લગાવી દીધી રસી. તમને નપુંસક બનાવી શકે કંઈ પણ થઈ શકે છે.
વિશેષજ્ઞોએ શું કહ્યુ
વિશેષજ્ઞ ડોક્ટર પહેલા જ કહી ચૂક્યા છે કે તાવ અને ધ્રુજારી રસીની સૌથી સામાન્ય આડ અસર છે. આ ઉપરાંત અનેક રસીથી લોકોને માથાનો દુઃખાવાની ફરિયાદ પણ થઈ શકે છે. આંકડા દર્શાવે છે કે રસી મેળવનારા અડધા લોકોને હળવો માથાનો દુખાવો થાય છે. રસીની તમારા પાચન તંત્ર પર થોડી અસર થઈ શકે છે. ચક્કર આવવા, પેટમાં ચૂલ ઉઠવી, ઉલ્ટી, થાક જેવી ફરીયાદો રસી બાદ થઈ શકે છે. DCGIનું કહેવું છે કે આ પ્રકારના દુષ્પ્રભાવ રસી લગાવવા પર સામાન્ય હોય છે. તેમાં ઘબરાવાની જરુર નથી. બન્ને રસી 110 ટકા સુરક્ષિત છે.