નોબેલ વિજેતા અને ફ્રાન્સના વાયરોલોજિસ્ટ લૂચ મોન્ટેનિયરે જણાવ્યું કે વેક્સિનેશન ઐતિહાસિક ભૂલ હશે કારણ કે તેનાથી નવા વેરિયન્ટ પેદા થશે અને તેનાથી વધારે મોત થશે.
નોબેલ વિજેતા અને ફ્રાન્સના વાયરોજોલિસ્ટ લૂચ મોન્ટેનિયરનો મેસેજ વાયરલ થયો
વેક્સિનથી નવા વાયરસ પેદા થશે-ફ્રાન્સના વાયરોજોલિસ્ટ
વૈજ્ઞાનિકોએ વાયરલ મેસેજને આધારવિહિન ગણાવ્યો
કોરોના મહામારીની વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના દાવા વાયરલ થઈ રહ્યાં છે. વોટ્સએપ અને ફેસબુક પર ઝડપથી શેર કરવામાં આવેલા એક મેસેજમાં તો ત્યાં સુધી કહેવાયું કે જેમણે કોરોના વેક્સિન લીધી છે તેમનો પ્રાણ સંકટમાં છે.
લાઈફસાઈટ નામની કેનેડાની એક વેબસાઈટે નોબેલ વિજેતા ફ્રાન્સના વાયરોલોજિસ્ટ લૂચ મોન્ટેનિયરને ટાંકીને એક ખબર છાપી છે. આ ખબરમાં જણાવાયું છે કે મોટા પાયે થઈ રહેલા વેક્સિનેશનની વિરૃદ્ધ તેમણે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે વેક્સિન લગાડવી ઐતિહાસિક ભૂલ હશે કારણ કે તેનાથી નવા વેરિયન્ટ પેદા થશે. અને આ વેરિયન્ટને કારણે વધારે મોત થશે.
વેક્સિનને કારણે નવા વેરિયન્ટ પેદા થશે- વાયરોલોજિસ્ટ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફ્રાન્સના વાયરોલોજિસ્ટે તેમના દાવાને સાચો ઠેરવવા એન્ટીબોડી ડિપેડન્ટ એન્હાસમેન્ટ એટલે કે એડીઈના સિદ્ધાંતને ટાંક્યો છે. 2008 માં નોબેલ પ્રાઈસ જીતનાર પ્રોફેસર મોન્ટાનિયરનું કહેવું છે કે વેક્સિનને કારણે નવા વેરિયન્ટ પેદા થશે.
વેક્સિન લેવાથી વાયરસ માટે કરો અથવા મરો જેવી સ્થિતિ પેદા થાય છે-વાયરોલોજિસ્ટ
વાયરલ થયેલી ખબરમાં જણાવાયું કે વેક્સિન લેવાથી એન્ટીબોડી બને છે જેને કારણે વાયરસ માટે કરો અથવા મરો જેવી સ્થિતિ પેદા થાય છે. વાયરસ પોતાનું અસ્તિત્વ બચાવી લેવા બીજા ઉપાયો પર નજર દોડાવે છે અને આવી સ્થિતિમાં નવા વાયરસ પેદા થવાની આશંકા રહે છે.
વેક્સિનથી નવા વેરિયન્ટ પેદા થશે તે થીયરી પાયા વગરની-વૈજ્ઞાનિકો
જોકે દુનિયાના તમામ વૈજ્ઞાનિકોએ આ વાયરલ મેસેજનો ખોટો ઠેરવ્યો છે. વૈજ્ઞાનિકોએ આ દાવાને મોં-માથા વગરનો ગણાવ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વેક્સિન લગાડવાને કારણે એન્ટીબોડીથી નવા વેરિયન્ટ પેદા થવાની વાત પાયા વગરની છે.
ફાઈઝર અને મોડર્ના વેક્સિન લીધા ફક્ત માથાના દુખાવાની ફરિયાદ
વેક્સિન એન્ડ રિલેટેડ બાયોલોજિકલ પ્રોડક્ટસ કમિટીએ 16 ફેબ્રુઆરીના ડેટાને આધારે એક રિપોર્ટ છાપ્યો છે તેમાં જણાવાયું છે કે મોટાભાગના લોકોએ ફાઈઝર અને મોડર્ના વેક્સિન લીધા બાદ ફક્ત માથાનો દુખાવાની ફરિયાદ કરી હતી. જ્યારે બીજા દર્દીઓએ થાક, સુસ્તી,ઈન્જેક્શન લગાડવાની જગ્યાએ દર્દ, ઠંડી લાગવી જેવા લક્ષણોની ફરિયાદ કરી હતી.