દેશમાં કોરોનાની ઝડપ સતત વધી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું કે નવા સ્વાસ્થ્યકર્મીઓનું રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે 45 વર્ષથી ઉપરના લોકોનું રજિસ્ટ્રેશન સામાન્ય રીતે કરાશે. તેઓએ કહ્યું કે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સના વેક્સીનેશન માટે કેન્દ્ર સરકાર રાજ્યોની સાથે મળીને કામ કરે છે. આ બંનેના વેક્સીનેશનની સમયસીમા અનેક વાર વધારવામાં આવી છે પણ હવે નવા રજિસ્ટ્રેશન બંધ કરી દેવા.
केंद्रीय स्वास्थ्य मंत्रालय के अनुसार आज शाम 8 बजे तक देशभर में कुल 7,44,42,267 वैक्सीन डोज़ दी गई हैं। #COVIDVaccination
પહેલા રજિસ્ટ્રેશન બંધ કરવાની તારીખ 25 ફેબ્રુઆરી હતી
તેઓએ કહ્યું કે પહેલા હેલ્થ વર્કર્સનું રજિસ્ટ્રેશન 25 ફેબ્રુઆરીએ બંધ કરવાનું હતું અને ફ્રન્ટ લાઈન વર્કર્સનું 6 માર્ચે. પણ હજુ સુધી રજિસ્ટ્રેશન ચાલુ છે. તેઓએ કહ્યું કે અનેક જગ્યાઓએથી મળેલી જાણકારી અનુસાર અયોગ્ય લાભાર્થીઓના રજિસ્ટ્રેશન હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કરના રૂપમાં થયા છે. તેમના વેક્સીનેશન કરવા એ વેક્સીનેશનની ગાઈડલાઈનનું ઉલ્લંધન છે.
હેલ્થ વર્કર્સના ડેટામાં 24 ટકાનો વધારો થયો
તેઓએ કહ્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં હેલ્થ વર્કર્સના ડેટામાં 24 ટકાનો વધારો થયો છે. આ મુદ્દા પર રાજ્યના પ્રતિનિધિ અને એક્સપર્ટની ચર્ચા થઈ છે. વેક્સીનેશનને લઈને નેસનલ એક્સપર્ટ ગ્રૂપની સલાહ પર નિર્ણય લેવાયો છે કે હવે હેલ્થ વર્કર્સના રજિસ્ટ્રેશન કરાશે નહીં.
16 જાન્યુઆરીથી ભારતમાં શરૂ થયું હતું વેક્સીનેશન
ઉલ્લેખનીય છે કે ભારતમાં દુનિયાના સૌથી મોટા વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત 16 જાન્યુઆરીથી થઈ છે. શરૂઆતમાં વેક્સીનેશન ફક્ત હેલ્થ વર્કર્સને માટે અને પછી ફ્રન્ટલાઈન વર્કર્સ માટે શરૂ કરાયું. 1 માર્ચથી શરૂ થનારા બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના લોકો અને અને 45 વર્ષથી ઉપરના ગંભીર બીમારીથી પીડાતા લોકો માટે શરૂ થયું અને હવે 1 એપ્રિલે 45 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીનેશન કાર્યક્રમ શરૂ કરાયો છે.