દેશમાં 100 કરોડ કોરોના રસી ડોઝ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક આખરે ગુરુવારે પૂરો થયો. મૂળ વારાણસીના દિવ્યાંગ અરુણ રોયને દિલ્હીમાં સવારે 9.47 કલાકે 100 કરોડમો ડોઝ મુકવામાં આવ્યો હતો.
અરુણે કહ્યુ આજનો દિવસ તેમના બહુ મહત્વનો છે
અરુણે PM મોદી સમક્ષ પોતાના દિલની વાત કહી
અરુણે કહ્યું કે ખબર નહોતી કે PM મોદી આજે આવવાના છે
અરુણે કહ્યુ કે આજનો દિવસ તેમના માટે બેવડી ખુશીઓ લઈને આવ્યો છે
અરુણે એક ટેલિવિઝનમાં ચેનલને કહ્યું કે, તે તેના માટે ગર્વની ક્ષણ હતી. તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા હોવાથી પોતાને નસીબદાર માની રહ્યાં છે. આજનો દિવસ તેમના માટે બેવડી ખુશીઓ લઈને આવ્યો છે. એક, તેને 100 કરોડની રસી મળી અને બીજાને પીએમને મળવાની તક મળી
#WATCH Prime Minister Narendra Modi visits vaccination site at Delhi's RML Hospital as India achieves the landmark one billion COVID19 vaccinations mark pic.twitter.com/cncYtediH6
અરુણે જણાવ્યું કે, પીએમ મોદીએ જ્યારે તેમને પુછ્યુ કે વેક્સિનનો પહેલો ડોઝ છે કે બીજો, જેના જવાબમાં અરુણે જણાવ્યું હતું કે, આ તેમનો પહેલો ડોઝ છે. જેના પર પ્રધાનમંત્રીએ આશ્ચર્ય થયું તેમણે અરુણને ઠપકો આપતાં કહ્યું કે અત્યાર સુધી પહેલો ડોઝ કેમ ના મુકાવ્યો. અરૂણે પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, તેઓ થોડા બેદરકાર બની ગયા છે. તેઓ ખાંતી બનારસી છે. તેઓ રોજ યોગ કરે છે. તેમણે વિચાર્યુ કે તેને કોરોના ન થઈ શકે, પરંતુ જ્યારે દરેકને રસી મળી રહી છે. ત્યારે તેણે પણ રસી લેવાનું નક્કી કર્યું
અરુણે મોદીને પોતાના દિલની વાત કહી
અરુણે કહ્યું કે તેમને ખબર નહોતી કે પ્રધાનમંત્રી પણ આજે તેમના રસીકરણ દરમિયાન હાજર રહેવાના છે. તેણે પીએમ સમક્ષ પોતાના દિલની વાત કહી. અરુણે મોદીને કહ્યું કે આ પહેલા ક્યાય પણ જતાં હતાં ત્યારે તેઓ વિકલાંગ શબ્દથી શરમ અનુભવતા હતાં.પરંતુ આજે તેઓ જ્યાં પણ જાય છે, સમાજમાં તેમને આદર સાથે જોવામાં આવે છે. પીએમ દ્વારા દિવ્યાંગ શબ્દને ચલણમાં લાવવા બદલ અમે સન્માનિત છીએ.