કોરોના સંક્રમિત થવા અને સાજા થવાના તાત્કાલીક બાદ જો તમે રસી લગાવી છે તો થશે આવી અસર.
કેટલા સમયના અંતરમાં રસી લેવાની સલાહ
સાજા થવાના તાત્કાલીક બાદ જો તમે રસી લગાવી છે તો...
મનુષ્યના શરીરમાં એન્ટિ બોડી પુરતા પ્રમાણમાં બને છે
કેટલા સમયના અંતરમાં રસી લેવાની સલાહ
દેશમાં કોરોનાને પહોંચી વળવા માટે રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે લોકોને સવાલ છે કે કોરોનામાંથી સાજા થયા બાદ કેટલા સમયના અંતરમાં રસી લેવાની સલાહ આપવામાં આવી રહી છે.
સાજા થવાના તાત્કાલીક બાદ જો તમે રસી લગાવી છે તો...
તેવામાં કોરોના સંક્રમિત થવા અને સાજા થવાના તાત્કાલીક બાદ જો તમે રસી લગાવી છે તો તેને લઈને લોકોના મનમાં અનેક ચિંતાઓ છે. જો કે વિશેષજ્ઞોનું માનીએ તો કોરોનાથી સાજા થયાના તાત્કાલીક બાદ રસી લેવા પર તેની અસર શરીર પર પડવી સ્વાભાવિક છે. પરંતુ ગભરાવાની જરુર નથી પરંતુ આની અસર ઘણી પોઝિટિવ જોવા મળી રહી છે.
મનુષ્યના શરીરમાં એન્ટિ બોડી પુરતા પ્રમાણમાં બને છે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ સાયન્સમાં ઓપરેશન ગ્રુપ ફોર કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડો. એન કે અરોડાએ જણાવ્યું કે રોકફેલર યુનિવર્સિટીનું એક રિસર્ચ જણાવે છે કે કોરોનાથી બહાર આવનાર મનુષ્યના શરીરમાં એન્ટિ બોડી પુરતા પ્રમાણમાં બને છે. જે અનુસાર તેમની પ્રતિરોધક ક્ષમતા ઘણી મજબૂત રહે છે. લગભગ એક વર્ષ સુધી એન્ટીબોડી શરીરમાં રહે છે. પરંતુ જો આ દરમિયાન રસી પણ લેવામાં આવે છે તો આ ફાયદાકારક હોઈ શકે છે.
એન્ટીબોડીની સાથે જો રસી પણ લગાવવામાં આવે છે તો...
કોરોનાથી બનતી એન્ટીબોડીની સાથે જો રસી પણ લગાવવામાં આવે છે તો આ એન્ટીબોડીની ક્ષમતાને ઘણી વધારે છે. જેની સીધી અસર કોરનાની વિરુદ્ધ એક મજબૂત દિવાલ બનાવે છે. જેના કારણે તેના પર કોરોનાના કોઈ પણ વેરિએન્ટની અસર મુશ્કેલ થઈ જાય છે.
ડેલ્ટા સહિત અન્ય વેરિએન્ટ પર થઈ શકે છે કારગત
ડો. અરોડાએ કહ્યું કે કોરોનાથી સાજા થયા બાદ રસી લગાવવી વધારે ફાયદાકારક હોઈ શકે છે. ભારતમાં હાલ આના પર રિસર્ચ ચાલી રહ્યુ છે. પરંતુ અનુમાન છે કે કોરોનાથી પેદા થયેલી એન્ટીબોડી અને ફક્ત રસીથી મળતી એન્ટિ બોડી બાદ શરીરમાં ડેલ્ટાની સાથે અન્ય તમામ ખતરનાક વેરિએન્ટ પર અસરને ઓછી કરવામાં મદદ મળી શકે છે. એ પણ સંપૂર્ણ શક્ય છે કે દર્દીની ઉપર કોઈ પણ વેરિએન્ટનું સંકટ ગંભીર ન બને.