બાળકોને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે. કોવોવૈક્સ રસીના ફેજ 2/3ના ટ્રાયલ શરુ થઈ ગયા છે.
બાળકોને જલ્દી જ સારા સમાચાર મળી શકે
કોવોવૈક્સ રસીના ફેજ 2/3ના ટ્રાયલ શરુ
ટ્રાયલ માટે 9 બાળક ભરતી કરવામાં આવ્યા
બાળકોને જલ્દી જ સારા સમાચાર મળી શકે
કોરોના વાયરસની વિરુદ્ધ જંગમાં અત્યાર સુધી રસીથી વંચિત રહેલા બાળકોને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે. પૂર્ણેના ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલજમાં બુધવારે કોવોવૈક્સ રસીના ફેજ 2/3ના ટ્રાયલ શરુ થઈ ગયા છે. હાલમાં આ પરીક્ષણ 7થી 11 વર્ષથી બાળકો પર કરવામા આવી રહ્યું છે. બીજી તરફ દિલ્હીમાં પણ હમદર્દ ચિકિત્સા વિજ્ઞાન તથા અનુસંધાન સંસ્થાનમાં કોવોવેક્સના બીજા ચરણના પરિક્ષણ માટે વોલેન્ટિયર્સની ભરતીઓ શરુ થઈ ગઈ છે.
ટ્રાયલ માટે 9 બાળક ભરતી કરવામાં આવ્યા
સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર સંજય લલવાનીએ જણાવ્યું, પુણેના ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ હોસ્પિટલે બુધવારે 7અને 11 વર્ષની ઉંમરના બાળકોની વચ્ચે કોવોવેક્સના 2/3 ચરણના ટ્રાયલ શુરુ કરી દીધા છે. ટ્રાયલ માટે 9 બાળક ભરતી કરવામાં આવ્યા છે. રસીના આ ચરણના પરિક્ષણ માટે દેશમાં 9 કેન્દ્રોની ઓળખ કરવામાં આવી ગઈ છે. ભારતી વિદ્યાપીઠ મેડિકલ કોલેજ હોસ્પિટલ પણ સામેલ છે.
બાળકોના માતા-પિતા સાથે પહેલાથી જ ચર્ચા કરવામાં આવી હતી
ડો. લલવાનીએ જણાવ્યું કે ટ્રાયલમાં શામિલ થવા ઈચ્છનારા બાળકોના માતા-પિતા સાથે પહેલાથી જ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે દાખલ થવા ઈચ્છતા બાળકોને સ્થાનીય ભાષામાં સલાહ આપવામાં આવી હતી અને ઓડિયો વિઝ્યુઅલ કન્સલ્ટિંગ પ્રક્રિયાને રેકોર્ટ કરવામાં આવ્યા. એક વાર પેરેન્ટ્સની પરવાનગી આપી દે છે તો વોલેન્ટિયરના RT-PCR ટેસ્ટ અને એન્ટીબોડી ટેસ્ટ થયા છે.
શામેલ થનારી ઉંમર 2થી 17 વર્ષ
ભારતમાં બાળકો પર કોવિડના વિરુદ્ધ રસીના ટ્રાયલની પ્રક્રિયા શરુ થઈ ચૂક્યા છે અને તેમાં શામેલ થનારી ઉંમર 2થી 17 વર્ષ છે. પૂણેમાં શરુ થનારા ટ્રાયલ દરમિયાન બાળકોને 21 દિવસથી અંતરાલ પર બે ડોઝ આપવામાં આવશે. સીરમ ઈસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા તરફથી ભારત લાવવામાં આવેલા નોવોવેક્સ રસીના ભારતીય સ્વરુપ કોવોવેક્સ છે.
કોવોવૈક્સના બાળકો પર પરિક્ષણ માટે ભરતી શરુ
ભાષા અનુસાર હમદર્દ ચિકિત્સા વિજ્ઞાન તથા અનુસંધાન સંસ્થાનમાં 2થી 17 વર્ષથી ઉંમરના બાળકોના ગત કોવિડ 19 રસી કોવોવેક્સના ત્રણ ચરણોમાંથી બીજા ચરણના નૈદાનિક પરિક્ષણ માટે સ્વયંસેવિયાની દાખલ રવિવારે શરુ થઈ. સત્તાવાર સૂત્રોના અનુસાર આ પરિક્ષણ 10 સ્થાનો પર થશે અને એમાં 920 બાળકો સામેલ થશે. જેમાં 12-17 અને 2-11 આયુ વર્ગમાં460-460 બાળકો શામેલ થશે. ભારતના દવા નિયામકે જુલાઈમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(એસઆઈઆઈ)ને બેથી 17 વર્ષની ઉંમરના બાળકો પર કોવોવેક્સના બીજા ચરણના પરિક્ષણ માટે કેટલીક શરતોની સાથે કોવિડ 19 પર વિષય વિશેષજ્ઞ સમિતિ(સીઈસી)ની ભલામણોના આધાર પર અનુમતિ આપી હતી.