9 લાખથી વધારે ક્લેમને પહોંચી વળવામાં આવે - નાણા મંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારમણએ એ વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે અનેક વીમા કંપનીઓ કોવિડ 19ની સારવાર માટે કેશલેસ સુવિધા નથી આપી રહી. તેમણે IRDAIના ચેરમેન એસ સી ખુંટિયાને વીમા કંપનીઓ દ્વારા કેશલેસ ક્લેમ ફગાવી દેવા અંગેની ફરિયાદો પર તાત્કાલીક કાર્યવાહી કરવાનું કહ્યું છે.
શું કહ્યુ નાણા મંત્રીએ
નાણા મંત્રીએ ગુરુવારે ટ્વીટ કરી કહ્યુ કે વીમા કંપનીઓ 8, 642 કરોડ રુપિયાના કોવિડ સાથે જોડાયેલા 9 લાખથી વધારે ક્લેમને પહોંચી વળવામાં આવે. પરંતુ રિપોર્ટ મળી રહ્યા છે કે કેટલીક હોસ્પિટલો કેશલેશ વીમાથી ઈન્કાર કરી રહી છે. IRDAIના ચેરમેન એસ સી ખુંટિયા સાથે વાત કરી ને આના પર તાત્કાલીક પગલા ભરવા કહ્યુ છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં કોવિડને વ્યાપક સ્વાસ્થ્ય વીમામાં સામેલ કરવામાં આવ્યુ હતુ. નાણા મંત્રીએ કહ્યું કે નિયમના જણાવ્યાનુંસાર કેશલેસ સુવિધા નેટવર્ક હોસ્પિટલોની સાથે સાથે અસ્થાયી હોસ્પિટલો ઉપલબ્ધ છે.
કોવિડ મામલામાં પ્રાથમિકતાના આધાર પર પહોંચી વળે
તેમણે કહ્યુ કે ભારતીય વીમા નિયામક તથા વિકાસ પ્રાધિકરણ IRDAIના વીમા કંપનીઓને પ્રાથમિકતાના આધારે કોવિડને પહોંચી વળવાનું કહેવામાં આવ્યું છે. સીતરમણે એમ પણ કહ્યુ છે કે વીમા કંપનીઓએ 8642 કરોડ રુપિયાના કોવિડ સાથે જોડાયેલા 9 લાખથી વધારે દાવાનો નિકાલ કર્યો છે. અહીં ફોન પર સલાહને પણ કવર કરી શકાય છે. IRDAI કંપનીઓને નિર્દેશ આપશે કે તે કોવિડ મામલાની સ્વીકૃતિ પ્રાથમિકતાના આધાર પર પહોંચી વળે.
IRDAIએ પણ સ્પષ્ટતા કરી
કૈશલેસ સુવિધાને મંજૂરી નહી મળવાના રિપોર્ટ પર સંજ્ઞાન લેતા IRDAIએ એ સ્પષ્ટ કર્યુ છે કે જે મામલામાં વીમા કંપનીઓની હોસ્પિટલની સાથે કેશલેસ સુવિધાને લઈને વ્યવસ્થા છે તેવા નેટવર્ક વાળા હોસ્પિટલો કોવિડ સહિત તમામ પ્રકારની સારવાર કેશલેસ કરવા બાધ્ય છે. IRDAIના આ સ્પષ્ટીકરણનો સ્પષ્ટ મતલબ છે કે જો કોઈ હોસ્પિટલ કોઈ દર્દીને તમામ બિમારીઓમાં કેશલેશ ટ્રીટમેન્ટ આપે છે તો તેમજ થવું જોઈએ. કોરોનામાં પણ તેને આમ જ કરવુ પડશે.