કોરોનાની ત્રીજી લહેર એકદમ ખતરનાક સાબિત થઈ શકે છે અને આ લહેર સપ્ટેમ્બરથી લઈ ઓકટોબર સુધીમાં આવી શકે છે. આટલું જ નહીં પણ રોજના પાંચ લાખ કેસો સામે આવશે.
કોરોનાની ત્રીજી લહેર ઓકટોબર સુધીમાં આવી જશે
IIT કાનપુરથી આંકડા સાથેનો રિપોર્ટ સામે આવ્યો
સપ્ટેમ્બર સુધીમાં પરિસ્થિતિ ફરી બગાડવાનું શરૂ થશે
કોરોનાની ત્રીજી લહેર ઓકટોબર સુધીમાં આવી જશે
કોરોનાની ત્રીજી લહેર એકદમ ખતરનાક સાબિત થઈ શકે છે અને આ લહેર સપ્ટેમ્બરથી લઈ ઓકટોબર સુધીમાં આવી શકે છે. આટલું જ નહીં પણ રોજના પાંચ લાખ કેસો સામે આવશે. આ વાત IIT કાનપુરથી આંકડા સાથે કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં ત્રણ મહત્વપૂર્ણ વાતો સામે આવી છે. સાથે એવું પણ માનવામાં આવે છે કે 15 જુલાઇ સુધીમાં સમગ્ર દેશ અનલોક થઈ જશે. જાન્યુઆરી 2021માં જેવી પરિસ્થિતિ હતી, તેવી જ સ્થિતિ હશે. પણ જો આ વખતના અનલોકમાં જો આપણે કોઈ પણ પ્રકારની સાવચેતી નહીં રાખીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરીએ, માસ્ક નહીં પહેરીએ તો કોરોનાની ત્રીજી લહેર ઓકટોબર સુધીમાં આવી જશે.
IIT કાનપુરથી આંકડા સાથેનો રિપોર્ટ સામે આવ્યો
આ રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર સુધીમાં પરિસ્થિતિ ફરી બગાડવાનું શરૂ થશે અને ઓકટોબર સુધીમાં તેની ભયાવક્તા વધી જશે. સાથે જ કોરોનાણી ત્રીજી લહેરમાં જો કોરોના વાયરસનું સ્વરૂપ બદલાશે તો સપ્ટેમ્બર મહિનામાં જ તે પિક પર આવી જશે. એટલે કેઓગસ્ટ મહિનાથી જ સ્થિતિ ખરાબ થવાનું શરૂ થઈ જશે. બીજી વાત એ પણ કહેવામાં આવી છે કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન કરી લેશે અને જો કોરોનાની વેક્સિન લઈ લેશે તો નવેમ્બર સુધીમાં જ તેઓ પિક પર આવી જશે.
સપ્ટેમ્બર સુધીમાં પરિસ્થિતિ ફરી બગાડવાનું શરૂ થશે
IIT કાનપુરમાં પોતાની રિપોર્ટમાં આ વાત એકદમ સ્પષ્ટ રીતે જણાવી હતી કે આ એક અનુમાન છે અને આ આંકડાઓમાં વેકસીનેશન ગણવામાં નથી આવ્યું. રસીકરણથી ટ્રાન્સમિશનણી ચેઇન તોડી નાખશે અને પિકને ઘટાડશે. એટલે તેઓ રસીકરણ થયા બાદ ત્રીજી લહેરમાં શું અસર થશે, તેના પર હાલ રિસર્ચ કરી રહ્યા છે અને થોડા જ સમયમાં તેનો પણ રિપોર્ટ રજૂ કરશે.