ભારતમાં અત્યાર સુધીમાં ICMR દ્વારા 40 કરોડ કોરોના ટેસ્ટ કરી રેકોર્ડ નોંધાવામાં આવ્યો છે.
ભારતમાં 40 કરોડથી વધારે કોરોના ટેસ્ટ કરાયા
1 જૂન સુધી દેશભરમાં 35 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
ટેસ્ટની સંખ્યા દર્શાવે છે કે દેશમાં 5ટીની રણનીતિ અસરકારક રહી
ભારતમાં 40 કરોડથી વધારે કોરોના ટેસ્ટ કરાયા
ભારતમાં અત્યાર સુધી કરવામાં આવેલા કોવિડ ટેસ્ટની સંખ્યા 40 કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે જૂનના મહિનામાં અત્યાર સુધીમાં પ્રતિદિન લગભગ 18 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આઈસીએમઆરે શનિવારે આ જાણકારી આપી છે. આઈસીએમઆર અનુસાર રોજ કરવામાં આવી રહેલા રેકોર્ડ ટેસ્ટની સંખ્યા જણાવે છે કે દેશમાં ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ અને ટેક્નોલોજીનો ઉપયોગ એટલે કે 5 ટીની રણનીતિને અસરકારક રીતે અમલમાં મુકવામાં આવી રહી છે. ઼
1 જૂન સુધી દેશભરમાં 35 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
ICMRએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે દેશમાં શુક્રવારે સાંજ સુધીમાં 40 કરોડ 18 લાખ, 11, 892 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા હતા. જૂન મહિનામાં બહું ઝડપથી ટેસ્ટ થયા છે. 1 જૂન સુધી દેશભરમાં 35 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ICMR અનુસાર દેશ ભરમાં ટેસ્ટિંગના પાયાના માળખા અને તેની ક્ષમતાને ઝડપથી વધારી શકાય છે જેના ચાલતા કોવિડ 19 ટેસ્ટના મામલા આપણે આ સફળતાને મેળવી શકીએ છીએ. ICMR એટલા માટે પોતાના તરફથી દેશમાં દરેક શક્ય પ્રયાસ કરી રહ્યું છે.
ટેસ્ટની સંખ્યા દર્શાવે છે કે દેશમાં 5ટીની રણનીતિ અસરકારક રહી
ICMRના મહાનિર્દેશક પ્રોફેસર બલરામ ભાર્ગવે કહ્યું કે ટેસ્ટિંગમાં તેજીના કારમે કોવિડ 19ના મામલાને જલ્દીથી જલ્દી અને શરુઆતમાં જ ઓળખવા અને તેની અસરને ઓછી કરવા અસરકારક સારવારમાં મદદ મળી છે. સાથે દેશમાં કોવિડ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. પ્રોફેસર ભાર્ગવે કહ્યુ કે ટેસ્ટિંગના મામલામાં આ સ્તર સુધી પહોંચવું જણાવે છે કે દેશમાં 5ટી એટલે કે ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ અને ટેક્નોલોજીનો ઉપયોગની રણનીતિને અસરકારક અને સફળતાપુર્વક લાગૂ કરવામાં આવી છે. આગળ કોરોનાને રોકવા માટે આ બહું મદદરુપ રહેશે.