વીકે પૌલે જણાવ્યું કે ભારતની કોરોના વિરોધી વેક્સિન નવા વેરિયન્ટ ઓમિક્રોનની સામે બેઅસર સાબિત થઈ શકે છે, આથી કોરોનાના બદલાઈ રહેલા વેરિયન્ટની સામે ઝડપથી અસરકારક બની શકે તેવી બીજી કોઈ વેક્સિનની ભારતે વ્યવસ્થા કરી રાખવી જોઈએ.
આપણને નવી વેક્સિન બનાવતા 1 વર્ષનો સમય લાગશે
ઈન્ડસ્ટ્રી બોડી CII દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા કોવિડ ટાસ્ક ફોર્સના વડા પોલે જણાવ્યું કે આપણે એટલી જલદી કેવી રીતે વેક્સિન બનાવી શકીએ. આપણે એવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે કે જ્યાં આપણે આપણી જરુર પ્રમાણે વેક્સિનમાં સુધારો કરી શકીએ. આ કંઈ 3 મહિનામાં કંઈ બની શકે પરંતુ તેમાં એક વર્ષનો સમય લાગી શકે.
પૌલનું નિવેદન ચિંતાજનક
ભારતમાં હાલમાં ઓમિક્રોનના 40થી વધારે કેસ છે તેવે સમયે વેક્સિનને લઈને પૌલે આપેલું નિવેદન ચિંતા વધારી શકે છે. તેમના મત પ્રમાણે તો ભારતની કોવિશિલ્ડ અને કોવેક્સિન ઓમિક્રોનની સામે અસરકારક નથી. જોકે વિશ્વની ટોચની સંસ્થા ડબલ્યુએચઓ જણાવી ચૂકી છે કે દુનિયામાં કોરોનાની હાલની જેટલી પણ વેક્સિન ઉપલબ્ધ છે તે તમામ ઓમિક્રોનની સામે અસરકારક છે એટલે ચિંતા કરવાની જરુર નથી.
ઓમિક્રોન વેરિઅન્ટનો વિશ્વમાં દાવાનળની જેમ ફેલાવો
કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વમાં દાવાનળની જેમ ફેલાઈ રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે લક્ષણો હળવા હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ શકે છે અને તેમને હોસ્પિટલમાં જવું પડે છે. આમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. નિષ્ણાતોએ આ ચેતવણી એવા સમયે આપી છે કે ઓમિક્રોનના કારણે બ્રિટનમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 10 લોકો હોસ્પિટલ પહોંચ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, "તે દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહી છે, જ્યાં ડેલ્ટાનો વ્યાપ હજુ પણ ઓછો છે." એટલું જ નહીં, ઓમિક્રોન વેરિઅન્ટ વિશ્વના તે દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે જ્યાં ડેલ્ટા વેરિઅન્ટ વ્યાપકપણે ફેલાયેલો છે. જેમાં બ્રિટન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે જો આપણે ઉપલબ્ધ ડેટા પર નજર કરીએ તો, એવી દરેક સંભાવના છે કે જ્યાંથી સમુદાય ચેપ શરૂ થયો છે.