નીતિ આયોગના સભ્ય વીકે પોલે એક મોટું નિવેદન આપતાં એવું જણાવ્યું છે કે દેશમાં હજુ કોરોના ગયો નથી અને તેની ઉપેક્ષા ભારે પડશે.
દેશમાં વધવા લાગ્યા કોરોના કેસ
નીતિ આયોગના સભ્યે વીકે પોલનું નિવેદન
કોરોના હજુ ગયો નથી, તેની ઉપેક્ષા ન કરતા
બધાએ પ્રીકોશન ડોઝ લેવો પડશે
દેશમાં કોરોના હવે બેકાબૂ થઈ રહ્યો છે અને હાલમાં કોરોનાના પ્રીકોશન ડોઝનું પણ અભિયાન ચાલી રહ્યું છે. લોકો હવે કોરોનાની ઉપેક્ષા કરી રહ્યાં છે અને તેને કારણે કોરોના કેસમાં ઉછાળો આવી રહ્યો છે અને તેથી હવે સરકારે લોકોને બીજી વાર અપીલ કરી છે.
COVID still not over, precaution dose vaccination rate needs a boost: Dr VK Paul
કોરોનાની ઉપેક્ષા ન કરો, પ્રીકોશન ડોઝ લેવો જરુરી
નીતિ આયોગના સભ્ય વીકે પોલે એક ખાસ મુલાકાતમાં લોકોને કોરોનાની ઉપેક્ષા ન કરવાનું તથા કોરોનાનો પ્રીકોશન ડોઝ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણે આપણી જાતને સુરક્ષિત રાખવાની જરૂર છે અને સાવચેતીનો ડોઝ લેવાની જરૂર છે. જેમણે બીજો ડોઝ લીધો છે અને 6 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે તેઓએ સાવચેતીનો ડોઝ ટૂંક સમયમાં લેવો જોઈએ. એવું કહેવામાં આવ્યું હતું કે શરૂઆતમાં ધીમી ગતિ હતી પરંતુ અમૃત મહોત્સવના 75 દિવસમાં, રસીકરણ દરમાં સુધારો થયો છે અને તે સંતોષકારક છે.
In view of the rise in COVID-19 cases, airlines have been advised to ensure that passengers are wearing face masks properly throughout the journey and ensure proper sensitization of the passengers through various platforms: Directorate General of Civil Aviation (DGCA) pic.twitter.com/SEhWHTllLZ
દિલ્હીમાં એક દિવસમાં કોરોનાના 1652 કેસ, 8 લોકોના મોત
રાજધાની દિલ્હીમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે એક દિવસમાં કોરોનાના 1652 કેસ નોંધાયા છે અને 8 લોકોના મોત થયા છે.
#COVID19 | Delhi reports 1,652 new cases, 1,702 recoveries, and 8 deaths in the past 24 hours.
ફ્લાઈટમાં માસ્ક જરુરી- સરકારે બહાર પાડ્યો આદેશ
વિમાની સફર વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે છતાં પણ લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે અને કોરોના વધવા પાછળ આ પણ એક કારણ છે તેવું ધ્યાનમાં આવતા સરકારે લાલ આંખ કરી છે. તમામ સરકારી અને પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓ જે મંત્રાલયના વિભાગ હેઠળ આવે છે તેવા DGCA વિભાગ દ્વારા તમામ એરલાઈન્સને એક મોટો ઓર્ડર અપાયો છે. DGCAએ ઓર્ડરમાં તમામ એરલાઈન્સને એવો આદેશ આપ્યો છે કે જે કોઈ મુસાફર ફ્લાઈટમાં માસ્ક વગર ઝડપાય તેની સામે આકરા પગલાં ભરો. કોરોના કેસ વધતા સરકારે આવો નિર્ણય લીધો છે.
ફ્લાઈટમાં માસ્ક પહેરવું છે ફરજિયાત, લોકો નથી પહેરી રહ્યાં એટલે સરકારે આપ્યો આદેશ
DGCAએ તેના ઓર્ડરમાં એવું જણાવ્યું છે કે એરલાઈન્સે ખાતરી રાખવી પડશે કે તેના મુસાફરોએ ફ્લાઈટમાં માસ્ક પહેરી રાખ્યું હોય. જો કોઈ મુસાફર માસ્ક પહેરવાનું નિયમનું પાલન ન કરે તો તેની સામે આકરા પગલાં ભરો. મંત્રાલયે એવું પણ કહ્યું કે એરલાઈન્સ દ્વારા એરપોર્ટ, એરલાઈન્સ અને પ્રવાસીઓની અચાનક તપાસ કરવી પડશે અને તેમાં કોઈ મુસાફર માસ્ક વગર જણાય તો તેની સામે આકરા પગલાં ભરો.