સ્થિતિની ગંભીરતા જોઈ દેશના 300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.
300 વૈજ્ઞાનિકોનો પીએમ મોદીને પત્ર
નવા વેરિએન્ટ પર અધ્યયન કરવાની અપીલ
ફંડની સાથે તમામ પરવાનગી જોઈએ
દેશના અનેક રાજ્યોમાં ખતરનાક વૈરિએન્ટ જોવા મળ્યા છે. એ પછી ડબલ મ્યૂટેંટ હોય કે બંગાળનું ટ્રિપલ મ્યૂટેંટ. સ્થિતિની ગંભીરતા જોઈ દેશના 300 વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખ્યો છે.
300 વૈજ્ઞાનિકોનો પીએમ મોદીને પત્ર
પત્રના માધ્યમથી પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે દેશના વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાનું અધ્યયન કરવાની પરવાનગી મળે જેનાથી વાયરસ હજું વધારે ઉંડા પૂર્વક સમજી શકાય અને સમય રહેતા પગલા ભરી શકાય તે જરુરી છે અશોકા યૂનિવર્સિટીના પ્રોફેસર શશિધરા અને કોલકત્તાના NIBMGમાં વૈજ્ઞાનિક પ્રોફેસર પ્રાથો મજૂમદારે આ પત્રને ડ્રાફ્ટ કર્યો છે. શશિધરાએ ભાર પૂર્વક કહ્યુ છે કે દેશમાં કોરોનાની સ્થિતિ બગડતી જઈ રહી છે અને જો સમય રહેતા જરુરી પગલા ન ભર્યા તો સ્થિતિ બેકાબૂ થઈ જશે. તેમણે જણાવ્યુ છે કે વૈજ્ઞાનિકોને હવે દરેક ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી મળવી જોઈએ. એવુ થતા જ આ મહામારીનો અંદાજ લગાવી શકાય છે અને પગલા ભરી શકાય છે.
નવા વેરિએન્ટ પર અધ્યયન કરવાની અપીલ
પત્રમાં એ વાત પર ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અનેક સરકારી આંકડા જણાવે છે કે વર્તમાનમાં જે સક્રિય મામલા નજરે પડી રહ્યા છે હકિકતમાં તેના 20 ગણા મામલા સામે આવી ચૂક્યા છે. તેવામાં અનેક લોકો ન ફક્ત વાયરસ ફેલાવી રહ્યા છે બલ્કે સુપર સ્પ્રડરની ભૂમિકામાં છે. તેમાં વૈજ્ઞાનિકો માને છે કે જો સમય સર સટિક ભવિષ્યવાણી કરવામાં આવે તો સરકાર અનેક જરુરી પગલા ઉઠાવી શકે છે અને લોકોના જીવ બચી શકે છે. પત્રમાં દેખાઈ રહેલા નવા વેરિએન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યુ છે કે આના પર અધ્યયન કરવુ ખૂબ જરુરી છે. સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે વૈજ્ઞાનિકોને મોટા પાયા પર viral genome sequencingને અંજામ આપી શકાશે.
ફંડની સાથે તમામ પરવાનગી જોઈએ
પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે આ મુશ્કેલ સમયમાં તેમની સરકાર તરફથી વૈજ્ઞાનિકોને ફક્ત ફંડ ન આપવામાં આવે બલ્કે તમામ પ્રકારની પરવાનગી અને સપોર્ટ પણ આવવામાં આવે. ભરોસો વ્યક્ત કરવામાં આવ્યો છે કે જો સમય રહેતા કોરોનાને લઈને જરુરી અધ્યયન પૂરુ થાય છે તો આનાથી ન ફક્ત દેશનું ભલુ થશે બલ્કે આનાથી થતો વિનાશ પર અંકુશ લાગશે.