દેશમાં 24 કલાકમાં 43 હજાર 815 નવા કેસ આવ્યા છે અને સાથે 5 રાજ્યોમાં સંક્રમણ વધ્યું છે. મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વધારે ખરાબ જોવા મળે છે.
ભારતમાં વધતો જતો કોરોનાનો પ્રભાવ
એક દિવસમાં 43 હજાર 815 નવા કેસ
5 રાજ્યોમાં સૌથી વધારે સંક્રમણ
એક તરફ દેશમાં કોરોના વાયરસ ફરીથી પોતાનો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે અન્ય તરફ મહામારીની જંગ પણ ચાલી રહી છે. આ દિશામાં મહત્વની વાત એ છે કે શનિવાર સુધીમાં ભારતમાં 4.36 કકોડ વેક્સીન આપવામાં આવી છે. વેક્સીનેશનના 64 મા દિવસે એટલે કે શનિવારે 7 વાગ્યા સુધી દેશમાં 16.12 લાખ વેક્સીન લાગી ચૂકી છે. વધતા સંક્રમણના કારણે મધ્યપ્રદેશ અને ગુજરાત જેવા અનેક રાજ્યોમાં વેક્સીનેશનમાં ઝડપ લાવવાની યોજના બનાવાઈ છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में 27,126 नए #COVID19 मामले, 13,588 रिकवरी और 92 मौतें दर्ज़ की गई।
कुल मामले: 24,49,147
कुल रिकवरी: 22,03,553
मृत्यु: 53,300
सक्रिय मामले: 1,91,006 pic.twitter.com/FS2b2sDmTL
5 રાજ્યોમાં સૌથી વધારે સંક્રમણ
આ સાથે જ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ દૈનિક કેસ વધી રહ્યા છે. શનિવારે દેશમાં 24 કલાકમાં 43 હજાર 815 નવા કેસ આવ્યા છે અને 188 મોત થયા હતા. આ સાથે 23653 દર્દીઓ રિકવર થયા હતા. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 15 લાખ 98 હજાર 710 સુધી પહોંચી ચૂક્યા છે. તો અન્ય તરફ રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 11 લાખ 28 હજાર 119 થઈ છે. તો દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 59 હજાર 790 સુધી પહોંચ્યો છે.
भोपाल: मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान ने बढ़ते हुए कोविड मामलों के मद्देनजर न्यू मार्केट एरिया में जाकर लोगों को मास्क बांटे। #COVID19pic.twitter.com/wVoZcZ97D8
મહારાષ્ટ્રમાં આવી છે સ્થિતિ
શનિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 27126 કેસ આવ્યા છે અને 19 મોત થયા છે. રાજ્યમાં મૃત્યુદર 2.18 ટકા છે. રાજ્યમાં 9,18,408 લોકો હોમ ક્વોરન્ટાઈન છે અને 7953 લોકો ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરન્ટાઈનમાં છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 1,91,006 થયા છે. મુંબઈમાં પણ શનિવારે 2982 કેસ નોંધાયા અને 7 મોત થયા છે. નાગપુરમાં 31 માર્ચ સુધી શાળાઓ બંધ કરાઈ છે. દુકાનો ફક્ત 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જરૂરી ચીજો સિવાયના બજાર બંધ રહેશે.
દિલ્હીમાં પણ વધ્યુ સંક્રમણ
દિલ્હીમાં 24 કલાકમાં 813 નવા કેસ આવ્યા છે અને એક્ટીવ દર્દીની સંખ્યા 3409 થઈ છે. અહીં સંક્રમણ રેટ 1 ટકાનો છે.
મધ્યપ્રદેશમાં 31 માર્ચ સુધી શાળાઓ બંધ
અહીં રાતે 10થી 6 સુધી દુકાનો બંધ રહેશે. 31 માર્ચ સુધી શાળાઓ બંધ રહેશે. સંક્રમણ વધતા આ પગલા લેવાયા છે. આ સિવાય માસ્ક ન પહેરનારા પરિવાર માટે ખતરો છે. માસ્કને પ્રાથમિકતા આપવાનું શિવરાજ સરકારે સૂચન કર્યું છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 20, 2021
ગુજરાતમાં મુખ્યમંત્રી નહીં લાગૂ કરે લોકડાઉન
અહીં સીએમ રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં લોકડાઉન નહીં આવે. લોકોએ નાઈટ કર્ફ્યૂનું પાલન કરવાનું છે. વીકેન્ડમાં મોલ અને સિનેમા બંધ રહેશે. 10 એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. પરીક્ષાઓ ઓનલાઈન રહેશે. સાવધાની માટે સ્ક્રીનિંગને પ્રાથમિકતા અપાઈ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 20, 2021
ભારતમાં સતત વધતું જતું કોરોનાનું સંક્રમણ
એક દિવસમાં ભારતમાં કોરોનાના નવા કેસ 43 હજાર 815 કેસ આવ્યા છે. આ સાથે જ એક દિવસમાં ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 22 હજાર 970 પહોંચી ચૂકી છે. દેશમાં કોરોનાથી એક દિવસમાં 196ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 6 હજાર 93 છે. તો ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 15 લાખ 98 હજાર 710 સુધી પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 11 લાખ 28 હજાર 119 થઈ છે. તો દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 59 હજાર 790 સુધી પહોંચ્યો છે.