કોરોનાથી સાજા થયેલા અને જેઓએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે તેમને ડેલ્ટા વેરિઅન્ટથી સુરક્ષિત માનવાનો દાવો રિપોર્ટમાં કરાયો છે.
કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ખતરનાક
જાણો ડેલ્ટા વેરિઅન્ટ સામે કયા લોકો છે સુરક્ષિત
રિપોર્ટમાં સામે આવ્યું છે ખાસ પરિણામ
દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે. યૂકે, બ્રાઝિલ જેવા દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ વધવાના કારણે ફરી લોકડાઉનની સ્થિતિ આવી શકે છે. ડબલ્યૂએચઓએ દુનિયાના તમામ સ્વાસ્થ્ય સંગઠન ડેલ્ટા વેરિઅન્ટને મોટી મુસીબતની રીતે જોઈ રહ્યા છે. આ વેરિઅન્ટને વેરિઅન્ટ ઓફ કનર્સન ના રૂપમાં જોવામાં આવે છે. કોરોનાની બીજી લહેર ધીમી બની છે ત્યારે મ્યૂટેશનને સંભવિત ત્રીજી લહેરના રૂપમાં ડેલ્ટા વાયરસને જોઈ શકાય છે. આ માટે વૈજ્ઞાનિકોએ વેક્સિનેશન પર ભાર આપ્યો છે.
ડેલ્ટા વેરિઅન્ટ ચિંતાનો વિષય
દુનિયાભરમાં તમામ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ ડેલ્ટા વેરિઅન્ટમાં થયેલા મ્યુટેશનને ખતરનાક માન્યો છે. તેમનું કહેવું છે કે આ નવા રૂપમાં પ્રતિરક્ષા પ્રણાલીને સરળતાથી માત આપી શકાય છે. આ સિવાય સ્પાઈક પ્રોટીનની સંચરનામાં થયેલા ફેરફાર, તેમને માણસની કોશિકામાં સરળતાથી પ્રવેશ આપે છે. આ કારણ છે કે ડેલ્ટા વેરિઅન્ટ અને તેના નવા રૂપને કોરોનાના મૂળ સ્ટ્રેનની તુલનામાં ખતરનાક માનવામાં આવી રહ્યા છે. ભારતમાં અન્ય લહેરના સમયે તેનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે.
કોને માની શકાય છે ડેલ્ટા વેરિઅન્ટથી સુરક્ષિત
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈનસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી સહિત દેશના પ્રમુખ સંસ્થાનના શોધકર્તાએ ડેલ્ટા વેરિઅન્ટથી સુરક્ષા માટેના અધ્યયન કર્યા છે. તેમાં કહેવાયું છે કે જે દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે અને જેઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને ડેલ્ટા વેરિઅન્ટ અને તેના મ્યૂટેટેડથી સુરક્ષિત માનવામાં આવે છે. આ સિવાય શોધકર્તાઓએ કોવિશિલ઼્ને પણ આ વેરિઅન્ટની વિરોધમાં અસરકારક હોવાનો દાવો કર્યો છે.
આ લોકોને ડેલ્ટા વેરિઅન્ટથી મળશે વધારે સુરક્ષા
અધ્યયનમાં કહેવાયું છે કે અલગ અલગ સ્થિતિના લોકોને તેમાં સામેલ કરાયા છે. તેમાં વેક્સિનના એક ડોઝ, બંને ડોઝ લઈ ચૂકેલા લોકોની સાથે કોરોનાથી સાજા થયેલા અને વેક્સિનના એક અને બે ડોઝ લીધેલા લોકોને સામેલ કરાયા હતા. તેમનું કહેવું છે કે જે લોકો કોરોના સંક્રમણથી બાકાત રહ્યા છે તેમની તુલનામાં સંક્રમિત થયેલા લોકો અને વેક્સિન લઈ લીધેલા લોકોને વધારે સુરક્ષા મળી રહે છે. જે લોકોનું વેક્સીનેશન થયું નથી તેમનામાં ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થવાનો ખતરો અનેક ગણો વધારે રહે છે.
કોરોના ઉપયુક્ત વ્યવહાર દરેકને માટે જરૂરી
શોધકર્તાએ કહેવું છે કે ડેલ્ટા વેરિઅન્ટથી સુરક્ષિત રહેવા માટે કોરોના વ્યવહારને પ્રયોગ લાવવામાં સૌથી આવશ્યક છે. ડબલ માસ્કિંગને માટે તમને સુરક્ષિત રાખી શકે છે. સંક્રમણના વિરોધમાં પ્રતિરક્ષા મેળવવા માટે ગંભીર સંક્રમણને જોખમને ઘટાડવા માટે વેક્સીનેશન એકમાત્ર ઉપાય છે. કોરોના સંક્રમણથી સુરક્ષા મેળવવામાં દુનિયાભરમાં તેને અસરકારક માનવામાં આવી રહી છે.