દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે ફરી એક વાર કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 739 નવા કેસો નોંધાયા છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કેસો વધ્યા
છેલ્લા 24 કલાકમાં આવ્યા નવા 739 કેસ
બીએમસીએ તાત્કાલિક આપ્યા આ આદેશ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે ફરી એક વાર કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. અહીં છેલ્લા 24 કલાકમાં 739 નવા કેસો નોંધાયા છે. જે કાલે આવેલા કેસો કરતા વધારે છે. તેની સાથે જ મુંબઈમાં કોવિડ પોઝિટિવિટી રેટ વધીને 8.4 ટકા પહોંચી ગયો છે. જ્યારે મંગળવારે આ દર 6 ટકા હતો. કોરોનાના વધતા કેસોની વચ્ચે બીએમસીએ ટેસ્ટીંગ વધારવાનો નિર્દેશ કર્યો છે. તેની સાથે જ યુદ્ધ સ્તર પર કામ કરવાની જરૂર જણાઈ છે.
શહેરમાં આ વર્ષે 1 ફેબ્રુઆરી બાદથી બુધવારે સૌથી વધારે કોવિડના 739 કેસ આવ્યા છે. આ તમામની વચ્ચે બીએસીએ ચેતવણી આપતા કહ્યું છે કે, ચોમાસુ નજીક હોવાના કારણે કોવિડ 19ના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
Maharashtra reports 1,081 new COVID19 cases today; Active cases stand at 4,032 including 2,970 cases in Mumbai pic.twitter.com/zUFdA9aKUS
કોરોના વાયરસને રોકવા માટે બીએમસીએ ટેસ્ટીંગ વધાર્યું છે અને હોસ્પિટલને એલર્ટ રહેવા પર પણ સૂચના આપી દીધી છે સાથે જ 12-18 વર્ષના બાળકોમાં રસીકરણ અભિયાન તથા બૂસ્ટર ડોઝને ઝડપ લાવવા માટે કહેવામાં આવ્યું છે.
તો વળી, મુંબઈની હોસ્પિટલોના ICUમાં દાખલ દર્દીઓની સંખ્યામાં અચાનક ઉછાળો આવ્યો છે. એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં કોવિડના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 231 ટકાનો વધારો થયો છે. સોમવાર સુધીમાં, શહેરની હોસ્પિટલોમાં 215 દર્દીઓ દાખલ થયા હતા, જ્યારે એપ્રિલમાં આવા દર્દીઓની સંખ્યા માત્ર 65 હતી.
તાજેતરમાં, રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રના તે જિલ્લાના લોકોએ માસ્ક પહેરવા સહિત તમામ સાવચેતી રાખવી જોઈએ, જ્યાં કોરોના વાયરસના ચેપના કેસ દરરોજ વધી રહ્યા છે. તે જ સમયે, મુંબઈમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટ BA.4ના ચાર અને BA.5ના ત્રણ દર્દીઓ મળી આવ્યા છે. આનાથી ચિંતા વધી છે કારણ કે આ તમામ પ્રકારો અત્યંત ચેપી માનવામાં આવે છે.