BCCI એ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રોહિત શર્મા કોવીડ પોઝીટીવ છે, ત્યારે રોહિતે પોતાની સ્માઇલ ફેસ વાળી એક સેલ્ફી સોશિયલ મિડીયામાં અપલોડ કરી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ
કેપ્ટન રોહિત કોરોના પોઝિટિવ હોવાથી મેચ નહી રમી શકે
હોટલના રૂમમાંથી ઈન્સ્ટાગ્રામ પર એક હસતી સેલ્ફી શેર કરી
રોહિત શર્મા નહી રમે ટેસ્ટ સિરીઝ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ આવતા મહિને એજબેસ્ટોનમાં રમાવાની છે. કેપ્ટન રોહિત શર્મા આ મહત્વની મેચમાં રમવાનો નથી. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા કોવિડ-19 પોઝિટિવ મળ્યા બાદ આઇસોલેશનમાં છે. બીસીસીઆઈએ ટ્વિટ કરીને રોહિતને કોરોના વાયરસ પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.
રોહિત હાલ આઈસોલેશનમાં છે
હવે રોહિત શર્માએ પાંચમી ટેસ્ટ મેચને લઈને ક્રિકેટ ચાહકોને મોટો સંકેત આપ્યો છે. હકીકતમાં રોહિત શર્માએ પોતાની હોટલના રૂમમાંથી ઈન્સ્ટાગ્રામ પર એક હસતી સેલ્ફી શેર કરી છે, જ્યાં તે હાલ આઈસોલેશનમાં છે. કોવિડ -19 પોઝિટિવ થયા બાદ રોહિત શર્માની આ પહેલી પોસ્ટ હતી.
કોણ કેપ્ટનશીપ કરશે ?
જો રોહિત નહીં રમે તો ભારતીય ટીમે પાંચમી ટેસ્ટ માટે પણ કેપ્ટનની તલાશ કરવી પડશે. રિષભ પંત કે જસપ્રિત બુમરાહ પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. 24 વર્ષીય પંતે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં પણ ભારતનું સુકાન સંભાળ્યું હતુ. પસંદગીકારોના પૂરા આત્મવિશ્વાસ સાથે રિષભ પંતને આ જવાબદારી મળી શકે છે.
ભારત શ્રેણી જીતવાની નજીક
ગત વર્ષે ભારત ઈંગ્લેન્ડ સામે તેની ધરતી પર 4 ટેસ્ટ મેચ રમ્યું હતું. જ્યાં રોહિતે બેસ્ટ બેટિંગ દર્શાવી હતી. રોહિતે તે ચાર ટેસ્ટમાં 52.27ની એવરેજથી 368 રન ફટકાર્યા હતા, જેમાં ઓવલ ખાતેની સદીનો પણ સમાવેશ થાય છે. હવે તે શ્રેણીની પાંચમી મેચ 1 - 5 જુલાઈ દરમિયાન રમાવાની છે. ભારત હાલ પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારત કમ સે કમ એજબેસ્ટોન ટેસ્ટ તો ડ્રો કરશે તો તેઓ શ્રેણી પર કબજો જમાવી લેશે.