ચીનમાં અનેક એવા કે સામે આવી રહ્યા છે જેના કારણે કોરોના વાયરસથી સાજા થઈ રહેલા દર્દીઓ પણ ફરીથી પોઝિટિવ આવી રહ્યા છે. દુનિયાભરના હેલ્થ એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિકો માટે આ સૌથી મોટી ચિંતા બન્યું છે. આ મહામારીની ચપેટમાં ફરીથી આવનારા દક્ષિણ કોરિયાના સીડીસી (Centers for Disease Control and Prevention) ના શોધકર્તાઓનો એક રિપોર્ટ આવ્યો છે જે રાહત આપી રહયો છે.
કોરોના વાયરસને લઈને આવ્યા સારા સમાચાર
કોરોનામાંથી ભારતીયોને મળી શકે છે મોટી રાહત
સ્ટડીમાં સામે આવી રહી છે ખાસ વિગતો
શોધકર્તાઓને એ વાતની જાણકારી મળી છે કે જે દર્દીઓ કોરોના વાયરસની સાથે સાજા થયા છે તે ટેસ્ટમાં ફરી પોઝિટિવ આવી રહ્યા છે. તેઓ સંક્રામક નથી એટલે કે તેમનાથી અન્ય દર્દીઓને સંક્રમણ લાગવાનો ખતરો નથી. આ સિવાય શરીરમાં બનેલા એન્ટીબોડીના કારણે સાજા થયેલા કોરોનાના દર્દી ફરીથી બીમાર નહીં પડી શકે.
આ દર્દીઓ કોરોના સંક્રમણ ફેલાવી રહ્યા નથી
વૈજ્ઞાનિકોને આ સ્ટડી 285 દર્દીઓ પર કર્યા છે જે સાજા થયા બાદ કોરોના વાયરસના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે આ દર્દીઓથી કોઈ પણ સંક્રમણ ફેલાતું નથી. તેના વાયરસ સેમ્પલમાં જીવાણુઓની વૃદ્ધિ થતી નથી. તેનાથી ખ્યાલ આવે છે કે દર્દી બિન સંક્રામક હતા તેનાથી અંદરના મૃત વાયરસના કણ હતા.
કોરોનાથી બચવાનો સકારાત્મક સંકેત
આ રિપોર્ટ એ દેશોને માટે એક સકારાત્મક સંકેત છે જ્યાં કોરોના વાયરસના દર્દીઓ સાજા થઈ રહ્યા છે. કેઓ લૉકડાઉનને ખોલવાની તરફ આગળ વધી રહ્યા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓ સોશ્યિલ ડિસ્ટન્સિંગ જેવા ઉપાયોને નબળા પડ્યા બાદ તેમાંથી કોરોના વાયરસ ફેલાવવાનો ખતરો નથી.
ફરી વખત દર્દી પોઝિટિવ આવશે તો સંક્રામક નહીં ગણાય
દક્ષિણ કોરિયામાં સ્વાસ્થ્ય અધિકારી હવે સાજા થઈ ચૂક્યા છે. ફરી વાર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ તેમને સંક્રામક નહીં ગણવામાં આવે. ગયા મહિને કહેવાયું કે કોરોના વાયરસના ન્યૂક્લિક એસિડના પીસીઆર ટેસ્ટ મૃત અને જીવતા લોકોના કણોની વત્તે અંતર નથી રાખી શકતા. શોધ કહે છે કે ફરી વાર ટેસ્ટમાં પોઝિટિવ આવનારા વ્યક્તિ સંક્રામક બની રહે છે.
એન્ટીબોડી કદાચ વાયરસની વિરુદ્ધમાં થોડા સ્તરની સુરક્ષા પ્રદાન કરે છે
એન્ટી બોડીના ટેસ્ટ પર ચાલી રહેલી કામગીરીમાં દક્ષિણ કોરિયાની શોધ મદદરૂપ સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે એન્ટીબોડી કદાચ વાયરસની વિરુદ્ધમાં થોડા સ્તરની સુરક્ષા પ્રદાન કરે છે. તેમની પાસે આ વાતના હાલ સુધી કોઈ સબૂત નથી. અને ન તો તેઓ જાણે છે કે કોઈ પણ ઈમ્યુનિટી કેટલા સમય સુધી શરીરમાં રહી શકે છે. સંશોધિત પ્રોટોકોલના આધારે કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓ જો પોતાનો આઈસોલેશન સમય પૂરો કરી ચૂક્યા છે તો તેમને પોતાના કામ પર કે શાળાએ જવા માટે રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી. નવા પ્રોટોકોલના આધારે આઈસોલેશન પૂરો કરનારા દર્દીનો કોઈ અન્ય ટેસ્ટ નહીં કરવામાં આવે. આઈસોલેશન બાદ કોરોના રિપોઝિટિવ કેસને હવે પીસીઆર રિ-ડિટેક્ટેડ કેસ કહેવાશે.