યુપી અને બિહારમાં ગંગા નદીમાં 45 લાશો વહેતી મળી આવતા હડકંપ મચ્યો છે.
યુપી અને બિહારમાં ગંગા નદીમાં 45 લાશો વહેતી મળી
કોરોના દર્દીઓની લાશો હોવાનું કહેવાય છે
અંતિમ સંસ્કારનો ખર્ચ બચાવવા લોકો ગંગામાં ફેકી રહ્યાં લાશો
કેટલીક લાશો કિનારે આવી, ગીધ-કૂતરા લાશોને ચૂંથી રહ્યાં છે
યુપી અને બિહારમાં તો હવે કોરોનાથી મરેલા સ્વજનોના અંતિમ સંસ્કાર કરવાની પણ ત્રેવડ લોકોમાં રહી નથી. કોરોના કાળમાં ભગવાન આવો પણ દિવસ દેખાડશે તેની તો કોઈને કલ્પના પણ નહીં હોય.
યુપીના મુઝફ્ફરનગર અને બિહારના બક્સરમાં લોકો લાશોને ગંગા નદીને હવાલે કરી રહ્યાં છે. લોકો કોરોનાની મરેલા લોકોની લાશો ગંગામાં પધરાવતા હોવાનું મનાઈ રહ્યું છે. અંતિમ સંસ્કારના મોટા ખર્ચથી બચવા માટે તથા સ્મશાનઘાટમાં લાકડાની તંગીને કારણે લોકો તેના પ્રિયજનોની લાશો ગંગામાં પ્રવાહિત કરી રહ્યાં છે.
યુપીના હમીરપુર અને કાનપુરની યમુના નદીમાં પણ ઘણી લાશો જોવા મળી
યુપીના હમીરપુર અને કાનપુરની યમુના નદીમાં પણ ઘણી લાશો જોવા મળી છે. બિહારના બક્સર જિલ્લાના ચૌસા પ્રખંડના મહાદેવા ઘાટ પર સોમવારે લોકોએ ઘણી લાશોને તરતી જોઈ હતી. આ ઘટનાથી આઘાત પામેલા લોકોએ તાત્કાલિક વહિવટીતંત્ર અને પોલીસને જાણ કરી હતી. કેટલીક લાશો કિનારા સુધી આવી હતી તો બીજી કેટલીક લાશો નદીના વહેણમાં વહીને આગળ નીકળી ગઈ હતી.
આ લાશો યુપી બાજુએથી તરીને આવી રહી હોવાનું ગામલોકોએ જણાવ્યું છે
સ્મશાનમાં લાકડાની અછત તથા અંતિમ સંસ્કાર પાછળ થનાર તગડા ખર્ચથી બચવા લોકો કોરોનાથી બચવા તેમના મૃત સ્વજનોની લાશો નદીમાં પધરાવી રહ્યાં છે. છેલ્લા 1 અઠવાડિયામાં બક્સરના ચૌશા સ્મશાનઘાટ પર ઘણી લાશો ગંગાકિનારેથી મળી આવી છે. ગીધ અને કૂતરા તથા બીજા રખડુ પ્રાણીઓ લાશોની ચૂંથી રહ્યાં હોવાનું પણ જણાયું છે. આને કારણે ગંગા કિનારે ચીતરી ચડે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
બક્સર જિલ્લા કલેક્ટરના જણાવ્યાનુસાર, અત્યાર સુધીમાં 45 ડેડબોડી મળી આવી છે. ખુદ કલેક્ટરે પણ જણાવ્યું કે લાશો આગળથી વહીને આવી રહી છે.