કોરોના વાયરસ મહામારી સામે આવ્યા પછી પ્રખ્યાત વાયરોલૉજિસ્ટ અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરના પૂર્વ પ્રોફેસર ડોકટર ટી જૈકબ જૉન સતત પોતાના વિચારો આપી રહ્યાં છે. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં ડો. જેકેબે જણાવ્યું કે કોરોના વાયરસ હવે પૂર્ણ થવાના આરે છે અને એકથી બે મહિનાની અંદર સ્થિતિ સામાન્ય થઇ જશે.
જેકેબે કહ્યું કે કોરોનાના નવા સ્ટ્રેનની વાત સાચી છે અને આપણે કોરોનાના પહેલા સ્ટ્રેન અંગે ઘણુ બધુ જાણવું પડશે જેના કારણે કોરોનાના અન્ય સ્ટ્રેન સામે લડી શકાય, કોવેકિસનને લઇને જેકેબે કહ્યું કે તેને બનાવવાની રીત ઘણી અનોખી છે, પરંતુ આપણે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે આ સમય ઘણો અલગ છે.
કોવેક્સિનને ઇમરજન્સી સ્થિતિમાં ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે પરંતુ સરકાર આ વેક્સિનને ખરીદવા માટે મજબૂર નથી. કોવેકિસન વિવાદ પર તેઓએ કહ્યું કે મારુ અંગત સુચન પૂછો તો કોવિશીલ્ડ ના બદલે કોવેક્સીનની પસંદગી કરીશે.
જેકેબને જ્યારે પુછવામાં આવ્યું કે ભારત બાયોટેકની વેક્સીનને લઇને ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે જેના ઉપયોગની મંજૂરી અને તેની સાથે જોડાયેલા વિવાદ અંગે તમે શું વિચારો છો?
તેના જવાબમાં કહ્યું આ ઘણા વિશેષજ્ઞો આ વેક્સીનને લઇને સંશયમાં છે અને તે વિચારાધીન છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇંડિયાએ આ વેક્સિનને લઇને રિસ્ટ્રકડેટ, ઇમરજન્સી અને ટ્રાયલ મોડ પર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. જો કોઇ શાંતિથી વિચાર કરે તો આ સ્પષ્ટ છે કે આરોગ્ય મંત્રાલય કોવિડશીલ્ડને આરામથી ઉપયોગની મંજૂરી આપવાની તૈયારીમાં છે જ્યારે કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગની જ મંજૂરી છે.
વેક્સીનન બનાવાની રીત અનોખી છે, પરંતુ આપણે એ પણ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આ સંક્ટ પણ થોડુ અલગ છે. વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે પરંતુ ભારત સરકાર તેને ખરીદવા માટે કટિબદ્ધ નથી.
જ્યારે જેકેબને પૂછવામાં આવ્યું કે ટીકાકારોએ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરીને લઇને સવાલ ઉઠાવ્યાં છે. કોઇપણ વેક્સીનના પ્રભાવ અંગે જાણ્યા વગર તમે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી કેવી રીતે આપી શકો?
ત્યારે તેના જવાબમાં કહ્યું કે વેક્સીનના પ્રભાવના આંકડા ઉપલબ્ધ છે અને આ 50 ટકાથી વધારે પ્રભાવી છે અને પોતે જ રજિસ્ટ્રેશનને યોગ્ય છે. જો તેના પ્રભાવના આંકડા માગવામાં આવે તો ટ્રાયલ કોડ તોડવાનું થાય. આ ડાટા એન્ડ સેફ્ટી મોનિટરિંગ બોર્ડના નિયમો હેઠળ છે.
હું સમજુ છું કે 24000 લોકોએ આ વેક્સીનના ટ્રાયલમાં ભાગ લીધો હતો. વેક્સીન સુરક્ષા સલામતીના ધોરણો પર યોગ્ય ઉતરી છે. જો ભોપાલમાં થયેલ મૃત્યુનો સંબંધ વેક્સીનથી નથી. એવું લાગે પણ છે કે આ મૃત્યું વેક્સીનના કારણે થઇ નથી તો ડીસીજીઆઇને વેક્સીનના કોડ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.