રાજકોટની આયુષ કોવિડ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. કાલાવડ રોડ પર આયુષ કોવિડ હોસ્પિટલની બેદરકારીને કારણે કેટલાય સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુ જાહેરમાં ફેંકી દેવામાં આવી છે.
હોસ્પિટલ તંત્રની સૂચનાઓનો ઘોળીને પી ગઇ
હોસ્પિટલ સ્ટાફ દ્વારા ગ્લોઝ, માસ્ક, સિરીંજ બોક્સ, પ્રિસ્ક્રિપ્શન જાહેરમાં ફેંક્યા છે. હોસ્પિટલની બેદરકારીથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સૂર્યોદય સોસાયટીના રહીશોમાં હોસ્પિટલ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. હોસ્પિટલ તંત્રની સૂચનાઓનો ઘોળીને પી ગઇ છે.
સળગતા સવાલ
શું હોસ્પિટલ આટલું ગેરજવાબદારી કૃત્ય કરી શકે?
અત્યંત સંવેદનશીલ વસ્તુઓ જાહેરમાં કેમ ફેંકી?
કોઈને કોરોના થશે તો કોની જવાબદારી?
ઉપયોગમાં લેવાયેલા માસ્ક, ગ્લોઝથી નુકસાન થશે તો કોણ જવાબદાર?
શું હોસ્પિટલ ડીસ્પોઝલ સિસ્ટમનું પાલન નથી કરતી?
શું તંત્રની સુચનાનો અનાદર કરવામાં આવી રહ્યો છે?
કેમ તંત્ર દ્વારા હોસ્પિટલ પર કાર્યવાહી નથી થતી?
શું સોસાયટીના રહીશઓની જિંદગીની કોઈ કિંમત નથી?
રાજ્યમાં કોરોનાની સ્થિત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61,904 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1408 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 128949 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.69 ટકા છે. આજે દર્દીઓ1510 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 109211 પર પહોંચ્યો છે. આજે 14 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3384 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16354 છે.
મહાનગરો બાદ આ જિલ્લાઓમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયા
આજે મહાનગર રાજકોટમાં 311, સુરતમાં 276, અમદાવાદમાં 123, જામનગરમાં 118 અને વડોદરામાં 105 દર્દીઓ સાજા થયા છે. જ્યારે દાહોદમાં 73, મહિસાગરમાં 62, મહેસાણામાં 56 અને અમરેલીમાં 50માં દર્દીઓ સાજા થયા છે.
આજે 14 દર્દીઓના મોત થયા
આજે કોરોના વાયરસે 14 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 5 રાજકોટમાં 3, વડોદરામાં 2 અને ગાંધીનગરમાં 1 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.
રાજ્યમાં આજે કુલ 61,904 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 40,48,274 ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.