ICMR પ્રમુખે લોકડાઉન પ્રતિબંધને લઈને કહ્યું કે જ્યાં સંક્રમણનો દર 10 ટકાથી વધારે છે ત્યાં હજુ પણ 6-8 અઠવાડિયાનું લોકડાઉન જરૂરી છે.
ICMR ચીફનું મોટું નિવેદન
10 ટકાથી વધુ કોરોના સંક્રમિત જિલ્લામાં 6-8 અઠવાડિયાનું લોકડાઉન જરૂરી
જાણો કયા રાજ્યોમાં લાગૂ કરાયું છે લોકડાઉન
કોરોના વાયરસના વધતા કેસને લઈને ભારતમાં અનેક દિગ્ગજોએ લોકડાઉનની સલાહ આપી છે. દેશની ટોપ હેલ્થ એજન્સી, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પ્રમુખ ડો. બલરામ ભાર્ગવે પણ કહ્યું કે જે જિલ્લામાં સંક્રમણનો આંક વધારે છે તેને આવનારા 6-8 અઠવાડિયા માટે લોકડાઉનમાં રાખવામાં આવે. ICMR પ્રમુખે કહ્યું કે લોકડાઉન પ્રતિબંધ એ જિલ્લામાં લાગૂ થવો જોઈએ જ્યાં સંક્રમણનો દર ટેસ્ટ કરાયેલા લોકોના 10 ટકાથી વધારે છે. એક ઈન્ટરવ્યૂમાં ભાર્ગવે કહ્યું છે કે હાઈ પોઝિટિવિટી વાળા જિલ્લા બંધ રાકવામાં આવે. જો 10-5 ટકા સુધી પોઝિટિવિટી રેટ છે તો તેને ખોલી શકાય છે. નહીં તો તેને 6-8 અઠવાડિયા માટે બંધ રાખવા જરૂરી છે.
દેશમાં ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એક સમયે અહીં 35 ટકા પોઝિટિવિટી રેટ હતો જે 17 ટકા થયો છે. જો આ સમયે દિલ્હીને ખોલાશે તો મુશ્કેલીઓ વધશે તેમ પણ તેઓએ કહ્યું હતું.
દેશના આ રાજ્યોમાં છે લોકડાઉન
દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને મિઝોરમમાં લોકડાઉન છે તો અન્ય તરફ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, સિક્કિમ, પ.બંગાળ, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, નાગાલેન્ડ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખમાં લોકડાઉન નથી પણ કેટલીક પાબંધીઓ રાખવામાં આવી છે.
અમેરિકાના ટોપ ડોક્ટરે પણ આપી છે લોકડાઉનની સલાહ
અમેરિકાના ટોપ મેડિકલ એક્સપર્ટ એન્થની ફાઉચીએ પણ ભારતમાં થોડા દિવસ માટે લોકડાઉનની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં તરત પગલા લેવાનો સમય છે. તેઓએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારત મુશ્કેલ સ્થિતિમાં છે અને સ્થિતિને સુધારવા તરત કડક પગલા લેવાની જરૂર છે આ સમયે સૌથી જરૂરી ચીજ ઓક્સીજન, સપ્લાય, મેડિકેશન, પીપીઈ અને અન્ય ચીજોને એરેન્જ કરવાનું છે. સાથે દેશમાં તત્કાલ લોકડાઉન જરૂરી છે.