ભારતમાં કોરોના વાયરસના કહેરને લઈને તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે ત્યારે દેશમાં કોરોના વિકરાળ બન્યો છે. 24 કલાકમાં 2 લાખ કેસની સાથે મૃત્યુઆંક 1037 રહ્યો છે.
દેશમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ
એક દિવસમાં 2 લાખ નવા કેસ
1037 લોકોના થયા કોરોનાથી મોત
ભારતમાં બુધવારે એક જ દિવસમાં લગભગ 2 લાખ નવા પોઝિટિવ કેસ આવ્યા છે. મોતમાં પણ સતત વધારો થતા નવા રેકોર્ડ બની રહ્યા છે. આ આંકડા સતત ડરાવે તેવા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં બુધવારનો એક દિવસનો સંક્રમણનો આંક 199,569 રહ્યો હતો. તો સાથે જ આ 24 કલાકમાં 1037 લોકોના મોત પણ નીપજ્યા છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 14070300 થઈ છે. કોરોનાથી પીડિત લોકોને સાજા કરવાનો દર સતત ઘટી રહ્યો છે. હાલમાં રિકવરી રેટ 89.51 થયો છે.
જાણો શું કહે છે આંકડા
आज टीका उत्सव के दिन 8 बजे तक पूरे देश में 31,39,000 से ज्यादा कोविड वैक्सीन की डोज़ दी गई। अब तक कुल 11,43,00,000 डोज़ दी जा चुकी हैं: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय
દેશમાં મહામારીથી મૃત્યુ પામનારા દર્દીની કુલ સંખ્યા 1,73,152 થઈ છે. ઉપચારાધીન લોકોની સંખ્યા સતત વધી છે અને તેનો આંક 1365704 થયો છે. સંક્રમણના કુલ કેસનો રેટ 9.24 ટકા રહ્યો છે. અત્યાર સુધી કોરોનાના કુલ 12426146 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો મૃત્યુ દર 1.24 ટકાનો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1465877ની છે. સકક 36મા દિવસે પણ કોરોનાના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અનેક પ્રકારની પાબંધી લગાવી રહી છે પણ આ આંક સતત વધતો જઈ રહ્યો છે. તો સવાલ એ છે કે શું લોકડાઉન જ એક વિકલ્પ બચ્યો છે.
गुजरात में पिछले 24 घंटों में #COVID19 के 7,410 नए मामले सामने आए हैं। 2,642 लोग डिस्चार्ज हुए और 73 लोगों की मृत्यु दर्ज़ की गई।
ગુજરાતમાં કોરોના સંક્રમણ થમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે આજે ફરી કોરોનાના નવા 7 હજાર 410 કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ 73 લોકોના મોત નિપજ્યાં છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2 હજાર 524, સુરતમાં 1 હજાર 655, રાજકોટમાં 653 અને વડોદરામાં 452 કેસ નોંધાયા છે. તો છેલ્લાં 24 કલાકમાં કુલ 73 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 25, રાજકોટમાં 9 અને વડોદરામાં 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 4 હજાર 995 લોકોના કોરોનાથી મૃત્યુ થઇ ચૂક્યાં છે. રાજ્યમાં અત્યારે કુલ 39 હજાર 250 એક્ટિવ કેસ છે. જ્યારે 254 દર્દીઓની હાલત ગંભીર છે.
દિલ્હીમાં પણ વધ્યું કોરોના સંક્રમણ
दिल्ली में पिछले 24 घंटों में #COVID19 के 17,282 नए मामले सामने आए हैं। 9,952 लोग डिस्चार्ज हुए और 104 लोगों की मृत्यु दर्ज़ की गई।
અહીં કોરોનાએ ફરી પોતાનો કહેર દેખાડવાનું શરૂ કર્યં છે. બુધવારે અહીં 17000થી વદારે નવા કેસ આવ્યા છે. સંક્રમિત દર્દીની સંખ્યા 7.67 લાખ થઈ છે. સાથે જ પોઝિટિવિટી રેટ પણ 15.92 ટકા થયો છે. કોરોનાથી બુધવારે 100થી વધારે દર્દીના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ ચિંતાજનક
કોરોનાના લીધે આજે પણ મહારાષ્ટ્રમાં કેસોનો રાફડો ફાટ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે 8.30 વાગ્યે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 58,952 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે અને 278 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અગાઉ, મંગળવારે 60,212 લોકો, સોમવારે 51,751 અને રવિવારે 63,294 જેટલા દર્દીઓને કોરોના સંક્રમણ થયું હતું, રાજ્યમાં અત્યાર સુધીમાં 35,78,160 લોકોને કોરોના સંક્રમણ થયું છે. કોરોના વધતા જતા કેસો વચ્ચે આજે રાતના 15 વાગ્યાથી આઠ દિવસ માટે મહારાષ્ટ્રમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકડાઉન જેવા આ નિયંત્રણો 1 મેના રોજ સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કર્ફ્યુ લાદવાની ઘોષણા કરી હતી. મુંબઈમાં પણ આજે 9931 નવા કેસ આવ્યા છે અને કુલ મૃત્યુઆંક વધીને 12147 સુધી પહોંચ્યો છે. અહીં રિકવરી રેટ 81.21નો જોવા મળી રહ્યો છે તો મૃત્યુ દર 1.64 ટકા જોવા મળ્યો છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में #COVID19 के 58,952 नए मामले सामने आए हैं। इस दौरान 2,78 लोगों की मृत्यु दर्ज़ की गई। कुल मामले 35,78,160 है जिसमें 6,12,070 सक्रिय मामले भी शामिल है। pic.twitter.com/AvxDdqVR8k
ભારતમાં કોરોના સંક્રમણ બેકાબુ રફ્તાર ચાલુ છે. દેશમાં કોરોનાના દર્દીઓ અને મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્લ્ડોમીટર અનુસાર ગત 24 કલાકમાં 1.85 લાખથી વધારે નવા કેસ આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1.38 કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે 1 હજારથી વધારે મોત થતા કુલ મોતનો આંક 1, 72, 115 થઈ ગઈ છે. ગત દિવસોમાં સતત પોઝિટિવ આવનારા મામલાની સાથે કોરોનાથી સાજા થનારાના દરમાં ઘટાડો થયો છે. સતત 35 મા દિવસે કેસમાં વધારો થતા સરકારની ચિંતા વધી રહી છે.