બેંગ્લુરુ ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની એક ટીમના સ્ટડીમાં દાવો કરાયો છે કે 11 જુન સુધીમાં ભારતમાં કોરોનાના મોતનો આંકડો 4 લાખને પાર કરી જશે.
આગામી સમયમાં દેશમાં કોરોનાથી થનાર મોતની સંખ્યા થશે બમણી
કોરોનાની આ ચાલ રહી તો 11 જુન સુધી મોતનો આંકડો થશે 4 લાખને પાર
દેશમાં અત્યાર સુધી 2.26 લાખ લોકોના કોરોનાથી મોત
ચારથી છ અઠવાડિયા ભારત માટે ઘણા કપરા
વોશિંગ્ટન યુનિવર્સિટીના હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન ઈન્સ્ટીટ્યુટે પણ જણાવ્યું છે કે જુલાઈના અંત સુધીમાં ભારતમાં કોવિડથી 10 લાખ લોકોના મોત થશે.તો બીજી તરફ બાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન આશીષ ઝાએ જણાવ્યું કે આગામી ચારથી છ અઠવાડિયા ભારત માટે ઘણા મુશ્કેલ છે. પડકારો ઘણો મોટો છે અને જે ખરાબ સમય ચાલી રહ્યો છે તે આગળ વધે નહીં તેનો આપણે પ્રયાસ કરવો જોઈએ.
ભારતમાં ટેસ્ટિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ વધારવાની જરુર-વૈશ્વિક સંસ્થાઓ
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ભારત જેવા ગીચ વસતી ધરાવતા દેશમાં કોરોના સંક્રમણ કેસો અંગે કોઈ પણ જાતની ભવિષ્યવાણી કરવી સરળ નથી. પરંતુ મોટાભાગની સંસ્થાઓએ તેમના સ્ટડીમાં દાવો કર્યો છે કે ભારતમાં ટેસ્ટિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ વધારવાની જરુર છે. આગામી થોડા સમયમાં ભારત કોરોનાથી મરનાર લોકોની સંખ્યાના મામલે વિશ્વનો નંબર વન દેશ બની જશે.
સોમવારની સરખામણીએ 28 હજાર વધારે કેસ છે
બે દિવસ ભલે કેસ ઘટ્યા હોય પણ કોરોના હજું પણ મુશ્કેલી વધારી રહ્યો છે. દેશમાં એકવાર ફરી કોરોનાના નવા મામલાની સાથે મોતમાં પણ વધારો નોંધાયો છે. દેશમાં મંગળવારે 3 લાખ 82 હજારથી વધારે કેસ આવ્યા છે. સોમવારની સરખામણીએ 28 હજાર વધારે કેસ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કેસ 2 કરોડને પાર થઈ ગયા છે. માત્ર 15 દિવસમાં સંક્રમણના 50 લાખથી વધારે મામલા આવ્યા છે.
એક દિવસના કોરોનાના કેસ 382,691 આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે(4 મે) એક દિવસના કોરોનાના કેસ 382,691 આવ્યા છે. આ દરમિયાન સૌથી વધારે મોત 3786 લોકોના જીવ ગયા છે. આ પહેલા સોમવારે 3 મેના રોજ એક દિવસમાં 355, 828 નવા કેસ આવ્યા હતા અને આ દરમિયાન 3438 લોકોના મોત થયા હતા.
એક દિવસમાં 3786 લોકોના મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોના વાયરસના એક દિવસમાં 382,691 નવા કેસ આવતા કુલ કેસની સંખ્યા 20665524 પહોંચી છે. જ્યારે 3786 લોકોના મોત થતા મરાનારાની સંખ્યા 226194 પર પહોંચી ગઈ છે. ભારતમાં ડિસેમ્બરમાં 1 કરોડ કેસ હતા જેના 107 દિવસ બાદ 5 એપ્રિલ સંક્રમણના મામલ 1.25 કરોડને પાર પહોંચી ગઈ. મહામારીના મામલા 1.50 કરોડને પાર થવામાં 15 દિવસ જ લાગ્યા છે.