કોરોનાની ત્રીજી લહેર, પહેલી અને બીજીની સરખામણીએ એટલા વધારે ખતરનાક નથી, જો કે, મોતના આંકડા વધી રહ્યા છે, તેની પાછળના કારણો હાલમાં સામે આવ્યા છે.
કોરોનાની ત્રીજી લહેરમાં ખતરનાક નથી
મોતની સંખ્યામાં વધ-ઘટ થઈ રહી છે
આ પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે
મહામારીની ત્રણ લહેરના તુલનાત્મક અભ્યાસમાં એવું કહેવાયું છે કે, હાલની લહેર દરમિયાન અત્યાર સુધીમાં ફક્ત 23.4 ટકા દર્દીઓને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી છે. જ્યારે બીજી લહેર દરમિયાન 74 ટકા અને પહેલી લહેરમાં 63 ટકા લોકોને ઓક્સિજનની જરૂર પડી હતી.
દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નબળી પડી રહી છે. શુક્રવારે સતત સાતમા દિવસ પણ નવા સંક્રમિત કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારે 2 લાખ 35 હજાર 532 નવા કેસો આવ્યા હતા. એક દિવસ પહેલા નોંધાયેલા 2.85 લાખ કેસની સરખામણીએ આ ઓછા કેસ છે. જ્યારે 21 ફેબ્રુઆરીનો રેકોર્ડ 33.74 લાખ નવા કેસ મળ્યા હતાં. ત્યારથી આ સંખ્યામાં કમી આવી છે. એટલા માટે સ્વાસ્થ્ય મંત્રાલય માની રહ્યું છે કે હવે લહેર સ્થિર થઈ રહી છે અને હવે નવા સંક્રમણમાં ઉછાળો આવવાની શક્યતા નહીંવત છે.
આ દરમિયાન 3.35 લાખ લોકો સાજા પણ થયા છે. ચિંતાજનક બાબત એ છે કે, કોરોનાથી થતાં મોતમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે કોરોનાના કારણે 871 લોકોના મોત થઈ ગયા. એકલા મહારાષ્ટ્રમાં જ એક દિવસમાં 103 દર્દીઓના મોત થઈ ગયા, જે ઓક્ટોબર 2021 બાદ સૌથી વધારે આંકડો છે.
કોરોનાથી થતાં મોતના આંકડાવાળો ગ્રાફ વધી-ઘટી રહ્યો છે
એક દિવસ પહેલા ગુરૂવારે 627 લોકોના મોત થયા હતા. જે ગત અઠવાડીયાના આંકડા જોતા બુધવારે એટલે કે 26 જાન્યુઆરીના રોજ 573, 25 જાન્યુઆરીએ 665, 24 જાન્યુઆરીએ 614, 23 જાન્યુઆરીએ 439, 22 જાન્યુઆરીએ 525, 21 જાન્યુઆરીએ 488 અને 20 જાન્યુઆરીએ 703 લોકોના કોરોનાથી મોત થયા હતા.
મોતનું કારણ શું છે
એક ખાનગી હોસ્પિટલના અધ્યક્ષે કહ્યું છે કે, કોરોના મહામારી દરમિયાન લહેરમાં મૃત્યુ પામતા લોકોમાં 60 ટકા લોકોએ કાંતો આંશિક અથવા સમગ્રપણે રસીકરણ કરાવ્યું નહોતું. મેક્સ હેલ્થકેર તરફથી કરવામાં આવેલા અધ્યયનમાં કહેવાયું છે કે, આ લોકો કેટલીય જૂની બિમારીઓથી પીડિત હતા, જેમ કે કિડની રોગ, હ્દય રોગ, ડાયાબિટીસ, કેન્સર વગેરે...
રસીથી બચી શકે છે જીવ
એવું કહેવાય છે કે, ડેલ્ટાની સરખામણીએ કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ઓછો ખતરનાક છે પમ કોરોના એ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે, જેમણે અત્યાર સુધીમાં સંપૂર્ણપણે રસીકરણ નથી કરાવ્યું. કોરોનાથી મૃત્યુ પામતા લોકોમાં મુખ્ય બે કારણોમાં રસી લીધેલી ન હોય અને કોઈ જૂની બિમારી હોવી.
સ્વાસ્થ્ય મંત્રાલયનું શું કહેવું છે
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ત્રીજી લહેરમાં ભલે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા હોય, પણ તેમનામાં દેખાતા લક્ષણો વધારે ખતરનાક નથી. તથા સંક્રમિત લોકો જલ્દી સાજા થઈ રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરમાં થતાં મોતની સંખ્યાને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, તેની પાછળ એક કારણ રસીકરણ છે, કારણ કે, અત્યાર સુધીમાં વધારેમાં વધારે લોકો કોરોના રસી લગાવી ચુક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 254 કરોડથી વધારે ડોઝ લાગી ચુક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં 94 ટકા વયસ્કોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તથા 72 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે. આ ઉપરાંત 15થી 18 વર્ષની ઉંમરના 52 ટકા કિશોર-યુવાનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.
બીજી અને ત્રીજી લહેરમાં શું અંતર
ગત વર્ષે 30 એપ્રિલ 2021 દરમિયાન કોરોનાના નવા કેસોની સંખ્યા 386452 હતી અને તે સમય દરમિયાન કોરોનાથી 3059 મોત થયા હતા. તે સમયે ફક્ત બે ટકા લોકોને કોરોનાની રસી લાગી હતી. 28 જાન્યુઆરી એટલે કે, શુક્રવારના આંકડા જોતા દેશમાં 871 લોકના કોરોનાથી મોત થયા છે. તો વળી 72 ટકા લોકોને દેશભરમાં રસી લાગી ચુકી છે.
કોરોનાથી બચવા માટે કોરોનાની રસી ખૂબ જ મોટુ હથિયાર સાબિત થઈ રહી છે. ભારતમાં મુખ્ય રીતે કોવિશિલ્ડ અને કોવૈક્સિન લગાવામાં આવી રહી છે. હાલમાં આ વેક્સિન સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લગાવામા આવી રહી છે. પણ હવે ખુલ્લા બજારમાં પણ તેના વેચાણને મંજૂરી મળી ગઈ છે.