આરોગ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યું હતું કે, હાલમાં રાજ્યો પાસે એક કરોડ 67 લાખ 20 હજારથી વધુ રસીના ડોઝ વિવિધ રાજ્યો પાસે ઉપલબ્ધ છે
કેન્દ્રીય આરોગ્ય સચિવે આજે જાણકારી આપી હતી
કોરોનાના વિવિધ મુદ્દે આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપવામાં આવી હતી
કેરળ જેવા રાજ્યોમાં રસીનો બિલકુલ બગાડ નથી થઈ રહ્યો : આરોગ્ય મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે આજે સવારે 11 વાગ્યા સુધીના આંકડા મુજબ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીના ઉપયોગ માટે ઉપલબ્ધ ડોઝની સંખ્યા એક કરોડ 67 લાખ 20 હજારથી વધુ છે. આ મહિનાના એપ્રિલના અંત સુધીમાં રસીના બે કરોડ એક લાખ 22 હજાર 960 ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળી જશે. આ બતાવે છે કે આ મુદ્દો વધુ સારું પ્લાનિંગ કરવાનો છે, રસીની કોઈ અછત નથી.
Till now we've provided 13,10,90,000 doses to states and union territories. On one hand, we have states like Kerala where there is zero wastage (of vaccine) and on the other hand, we have several other states where there still is 8-9% of wastage: Union Health Secy Rajesh Bhushan pic.twitter.com/XKhvaTwuYY
અત્યાર સુધી 11.43 કરોડ ડોઝનો ઉપયોગ થયો : આરોગ્ય મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં રસીના 13 કરોડ 10 લાખ 90 હજાર ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એક તરફ કેરળ જેવા રાજ્યો છે જ્યાં રસીનો બગાડ શૂન્ય છે, જ્યારે કેટલાક રાજ્યો એવા છે જ્યાં રસીના બગાડનો દર આઠથી નવ ટકા સુધીનો છે. ભૂષણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના કોરોનાની રસી સ્ટોક અને તેના વપરાશ પર નજર નાંખવામાં આવે તો તેમણે 11.43 કરોડ ડોઝનો ઉપયોગ કર્યો છે.
As per data till 11 am today, unutilised doses available with states/UTs is over 1,67,20,000. This month - till April end - 2,01,22,960 doses will be provided to states/UTs. This clearly shows that issue is about better planning & not the shortage of doses: Union Health Secretary
વધુમાં તેમણે કહ્યું કે મંગળવારે સવારે 10.00 વાગ્યા સુધી દેશમાં કોરોના રસીના 10.85 કરોડથી વધુ ડોઝનો વપરાશ થઈ ચૂક્યો છે, છેલ્લા 24 કલાકમાં લોકોને 4 લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક : કેન્દ્ર સરકાર
મહારાષ્ટ્રમાં કોરોના ચેપની સ્થિતિ વિશે, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અહીં દરરોજનાં કેસોની સંખ્યા અઠવાડિયે વધતી જઈ રહી છે અને હાલ તે 57 હજારથી વધુના સ્તરે પહોંચી ગઈ છે. ટેસ્ટિંગની સંખ્યા વધી રહી છે પરંતુ તે દૈનિક કેસો કરતા ઓછી છે. જો તમે આરટી-પીસીઆરની સ્થિતિ જુઓ તો તેમાં ઘટાડો જોવા મળે છે.
#WATCH: Union Health Secretary speaks on reports of #COVID19 vaccine shortage. He says, "...As per 11 am data today, unutilised doses available with states/UTs is over 1,67,20,000. By April end we'll provide 2,01,22,960 doses. Issue is about better planning & not shortage..." pic.twitter.com/MxI9WxFiMy
રાજેશ ભૂષણે વધુમાં કહ્યું કે જો આપણે કોરોના ચેપને કારણે થતા દૈનિક મૃત્યુ તરફ નજર કરીએ તો તેમાં પણ ઝડપથી વૃદ્ધિ જોવા મળી રહી છે. જો કે, અગાઉની લહેરનો સૌથી વધુ આંકડો 1114 હતો અને હાલમાં 879 લોકોનાં મોત નોંધાયા છે. તેમણે કહ્યું કે દેશમાં 1.25 ટકા કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં 89.51 ટકા લોકો સાજા થયા છે અને 9.24 ટકા લોકો સક્રિય કેસ છે. જો આપણે નવા કેસો પર નજર કરીએ તો તે બતાવે છે કે આ આંકડો અગાઉના પીકને પાર કરી ગયો છે અને તે સતત વધી રહ્યો છે. જે ચિંતાજનક છે.
You will have to understand that these vaccines are disease-modifying vaccines. After both doses are administered, antibodies develop & chances of infection lower. Chances of severe infection & death lower. 85% reduction in chances of hospitalisation after vaccination: DG ICMR pic.twitter.com/DKA5Vva49l
રસીથી હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ઘટી જાય છે : ICMRના ડિરેક્ટર
આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ. ડો.બલરામ ભાર્ગવે કહ્યું કે તમારે સમજવું પડશે કે આ કોરોના રસી રોગને બદલી શકે છે. બંને ડોઝ આપ્યા પછી એન્ટિબોડીઝ વિકસે છે અને ચેપનું જોખમ ઘટે છે. ગંભીર ચેપ અને મૃત્યુનું જોખમ ઓછું થાય છે. રસીકરણ પછી હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ઘટીને 85 ટકા થઈ ગઈ છે.